________________
પાસેથી મીઠાઇ ઝૂંટવીને ખાઈ જાઉં તો એ વિકૃતિ છે. પરંતુ માનવતાની વાત ન્યારી છે. પોતાની મીઠાઈ પોતે ન ખાતાં બીજાને ખવડાવે અને ખવડાવીને ઊંડો સંતોષ પામે તે શ્રેષ્ઠ માણસ કહેવાય. એ જીવતું તીર્થ કહેવાય. દુનિયામાં આજે પણ આવાં અનેક જીવંત તીર્થો છે... એના પ્રતાપે આ દુનિયા ટકી રહી છે...
pich?
કૃણને, કંજૂસને બે આંખની શરમ પણ નથી નડતી. બે આંખની શરમનો પણ જાણે દુકાળ પડ્યો છે. લાભવાદ અને લોભવાદ વકર્યો છે. આ સંસારની આબોહવા જ એવી બની ગઈ છે. ગમે તે ભોગે માણસને પૈસો મેળવવો છે, ભેગો કરવો છે. પૈસો બનાવવા તે અધીરો બન્યો છે. કોઈને કંઈ આપવું નથી ! આ ‘ગીધવૃત્તિ’ કહેવાય. ગીધ જ્યારે મરેલા ઢોરના પેટમાં ઊંડે સુધી પોતાની ચાંચ ખોસે ત્યારે પોતાની પાંખો પહોળી કરીને ઢોરના શરીરને ઢાંકેલું રાખે છે, જેથી બીજું કોઈ પોતાની મિજબાનીમાં ભાગ ન પડાવે... ! હવે બીજી તાત્ત્વિક વાત કરી લઈએ.
દાન એ ધર્મ છે. જે તમારું છે તે તમે બીજાને આપો છો, તેને ધર્મ કહેવાયો છે. અને તમે નથી આપતા તો તેને ‘પાપ’ કહેવામાં આવ્યું છે ! આપવા યોગ્ય વસ્તુ છે તમારી પાસે છતાં તમે નથી આપતા, તો તે ગુનો છે, અપરાધ છે, પાપ છે.
પ્રશ્ન : બીજાને આપવાનું મન કેમ નથી થતું ?
ઉત્તર : તાત્ત્વિક દૃષ્ટિએ તેમાં કારણભૂત હોય છે અંતરાય કર્મ ! ‘દાનાન્તરાય’ નામનું કર્મ તમા૨ા મનને રોકે છે દાન આપતાં ! નથી ગમતું આપવાનું ! મેળવવાનું જ ગમે છે ! પણ મળવાનું ઇચ્છાથી નથી મળતું ! મળવા માટે પણ ‘લાભાન્તરાય’ નામના કર્મનો ક્ષયોપશમ જોઈએ. આ કર્મ થોડુંઘણું પણ તૂટેલું હોય તો થોડીઘણી ઇચ્છાઓ પૂરી થાય. ખેર, આ વાત પછી ક્યારેક વિસ્તારથી સમજાવીશ. આજે તો ‘કૃપણતા'ની વાત કરવી છે. તમારા જીવન-વ્યવહારમાંથી કૃષ્ણતા દૂર કરવાની છે. કેટલા-કેટલા પ્રકારની કૃપણતા માણસને સતાવે છે !
શું શોચનીય છે ? કૃપણતા ૦ ૩૫