________________
E. શું શોચા
છે ?
ઉપાણtt
શિષ્ય ગુરુદેવ, ખરેખર દુઃખદાયી શું છે ?' ગુરુ “વત્સ, કૃપણતા દુઃખદાયી છે.'
તમારી પાસે આપવા માટે વસ્તુ છે, બીજાને એની જરૂર છે ને એ માંગે છે, છતાં તમે નથી આપતા. તે વાત તમારા માટે ગંભીર કહેવાય. દુઃખદાયી કહેવાય. તમને દુનિયા કૃપણ-કંજૂસ કહેશે. કૃપણતા મોટો દોષ છે, દુર્ગુણ છે. પરંતુ માણસનો સ્વભાવ એવો છે કે એને બીજાની કૃપણતા તો ખટકે છે, પોતાની કાણતા ખટકતી નથી. એને બીજા પાસેથી લેવું ગમે છે, આપવાનું પ્રાયઃ ગમતું નથી ! તેમાં એક મહત્ત્વની વાત છે. જેના પ્રત્યે માણસને પ્રેમ હોય છે તેને આપવામાં એ રાજી હોય છે. એ પ્રેમ વાત્સલ્યરૂપે હોય, નેહરૂપે, દયારૂપે કે કરુણારૂપે હોઈ શકે.
તમે તમારા સ્વજનોને કંઈ આપો છો તે વાત્સલ્ય છે. તમે સાધુ-સંતોને કંઈ આપો છો તે સ્નેહ છે, પ્રેમ છે. તમે ગરીબોને કંઈ આપો છો તે દયા છે. તમે પશુ-પક્ષીઓને કંઈ આપો છો તે કરુણા છે.
આવા વિભાગો ભાવાત્મક ભૂમિકાના હોય છે. કૃપણ માણસ આવો એક પણ ભાવ પ્રાય: ધરાવતો હોતો નથી. એનામાં “લાગણી” જેવું,
સ્નેહ' જેવું તત્ત્વ પ્રાયઃ જોવામાં નહીં આવે. આવા માણસો કૃપણતાની વિકૃતિથી પીડાતા હોય છે.
મારી પાસે મીઠાઈ છે, તે બીજા સાથે વહેંચીને ખાઉં તો એ સંસ્કૃતિ છે. હું એકલો જ મીઠાઈ આરોગી જાઉં તો મારી પ્રકૃતિ છે, પણ બીજા
૩૪૦ સંવાદ