________________
બતાવાયું છે કે રાજ રાજ જો ગુરુ પાસે હોય તો, પાપોનું ખુલ્લા હૃદયથી આલોચન કરી જ લેવાનું.
સંયોગ ન હોય સદ્ગુરુનો તો પંદર દિવસે.... મહિને... આ ચાર મહિને સદ્ગુરુ પાસે જઈ હૃદયનું શુદ્ધીકરણ કરી જ
લેવાનું. કોઈ પાપ છૂપું (ગુરુથી) નહીં રાખવાનું. આવા શુદ્ધીકરણથી મન સ્વસ્થ ને પ્રસન્ન રહે છે. સાથે સાથે નમ્રતા અને નિરભિમાન આવે છે. હું પાપી છું...' આ વિચાર મનુષ્યને નમ્ર અને નિરભિમાન બનાવે. જ્ઞાની ગુરુજનો આવાં સરળ ને નિખાલસ શિષ્ય-શિષ્યાઓ પર વિશેષ રૂપે કરુણાવંત હોય છે. તેઓ આવાં શિષ્યોને ‘ઉત્તમ'ની કક્ષામાં મૂકે છે.
આ તો કાળ વિષમ છે, સંઘયણશક્તિ નથી... મનોબળ દૃઢ નથી, નહીંતર આવી રીતે સદ્ગુરુ પાસે જઈ પોતાનાં પ્રચ્છન્ન પાપોનું પ્રગટીકરણ કરનાર મહાત્માને કેવળજ્ઞાન થઈ જાય ! “મહાનિશીથ' સૂત્રમાં આવાં દૃષ્ટાંતો વાંચવા મળે છે.
આજની વાતનો સાર આ છે : પ્રગટ કે પ્રચ્છન્ન પાપોથી બચતા રહો. પ્રચ્છન્ન પાપોનો વહેલામાં વહેલી તકે નાશ કરો - આજે બસ ! આટલું જ.
કાંટો કયો છે ? ગુપ્ત પાપ ૦ ૩૩