________________
જો મનુષ્ય પાપનાં ફળોનો વિચાર કરે તો પણ એ પાપોથી બચવાનો સુયોગ્ય પ્રયત્ન કરવાનો. પાપનાં ફર્ગાનું વર્ણન આ રીતે મળે છે.
अधम मित्र कुमित्र समागमः प्रिय वियोग भयानि दरिद्रता । अपयशः खलु लोकपराभवः भवति पाप तरोः फलमीदृशम् ।।
સારો મિત્રો ન મળે, અધમ મિત્રો મળે, પ્રિયજનોનો વિયોગ થાય,
અનેક પ્રકારના ભય મનમાં ઊભા થાય,
લોકો તરફથી તિરસ્કાર મળે,
ગુપ્ત
પાપ
અપયશ ફેલાય,
આ પાંચ મોટાં ફળ છે પાપાચરણનાં.
આપણી વાત ચાલે છે પ્રચ્છન્ન પાપની. છૂપા પાપની. છૂપું પાપ લઈને જો મર્યા, તો એ પાપનું બહુ મોટું માઠું ફળ ભોગવવું પડે છે. પછી એ પાપ તમે છુપાવી રાખો કે અમે સાધુ-સાધ્વી છુપાવી રાખીએ. કોઇપણ છુપાવી રાખે... એનાં કડવા ફળ આ જીવનમાં તો અશાંતિરૂપે, અજંપારૂપે ભોગવવાં પડે છે, પરલોકમાં પશુરૂપે કે નારકરૂપે ભોગવવાં પડે છે.
૩૨ સંવાદ
મનુષ્ય મનુષ્યથી પાપ છુપાવી શકે છે, પરંતુ પૂર્ણજ્ઞ।ની ૫૨માત્માથી તે છુપાવી શકતો નથી ! આજે મહાવિદેહ ક્ષેત્રમાં બે ક્રોડ કવળજ્ઞાની છે. તેમનાથી કંઈ અજાણ રહેતું નથી... ખેર, એ કરુણાવત છે ને જાણવા છતાં તેઓ આપણી પાપી તરીકે જાહેરાત કરવાના નથી ! પરંતુ તમારો પાપનો ઘડો ક્યારેક તો ફૂટશે ને ? ત્યારે શું કરશો ? વર્ષો વીતી ગયાં પછી પણ કેટલાંક પાપ પકડાઇ જાય છે !
એટલે અમારાં સાધુ-સાધ્વીજીવનની આચારસંહિતામાં એ પ્રમાણે