________________
૮. ફાંટો ફટકો છે ?
મુખ પાપ
શિષ્ય ગુરુદેવ, જીવનપર્યત કયો કાંટો ખૂંચતો રહે છે? ગુરુઃ “વત્સ, છૂપી રીતે કરેલું પાપ. બહુ ભારે કાંટો છે. “અમોઘવર્ષ' નામના વિદ્વાને કહ્યું છે : आमरणात् किं शल्यं ? प्रच्छन्नं यत् कृतमकार्यम् ।
ખાનગીમાં કરેલું પાપ જીવનપર્યત મનુષ્યને કાંટાની જેમ ખૂંચ્યા કરે છે. અર્થાતુ એ પાપનો ભય એને સતાવતો રહે છે. “મારું પાપ બીજા લોકો જાણી જશે તો ?” આ ભય આજે મોટા ભાગના માણસોને સતાવે છે. વધારે તો સજ્જન ગણાતા, સાધુ ગણતા અને પવિત્ર તરીકે પંકાયેલા લોકો પોતાનાં ખાનગી પાપોથી અશાન્તિ ભોગવતા જોવામાં આવ્યા છે.
જ્યાં સુધી તેઓ સદ્ગુરુ સમક્ષ પોતાનું પાપ પ્રગટ કરીને પ્રાયશ્ચિત્ત નથી કરતા ત્યાં સુધી તેમના હૈયે ભારે અજંપો રહે છે.
અપયશભીરુ મનુષ્યને જ્યારે પાપ કરવાનું મન થાય છે ત્યારે તે દુનિયા ન જાણે, ઘરના કે સમાજના લોકો ન જાણે. એ રીતે પાપ કરવા પ્રવૃત્ત થાય છે. મુખ્ય રૂપે બે મોટાં પાપો ખાનગીમાં થાય છે. એક વ્યભિચાર અને બીજા અદત્તાચાર ! ચોરી અને લબાડી. જે માણસોની કામવાસના પ્રબળ હોય છે તેઓ પોતાની વાસના પર કંટ્રોલ રાખી શકતા નથી... સાથે સાથે મારે કોની સાથે જાતીય સંબંધ કરાય ને ન કરાય, તે પણ વિચારી શકતા નથી. કામાંધ પિતાએ સગ્ગી દીકરી પર બળાત્કાર કર્યાની ઘટનાઓ બને છે. પરસ્ત્રી સાથેના સંબંધો તો ખાનગીમાં લગભગ ચાલતા રહે છે. રૂપ અને યૌવન મનુષ્યને પાપ તરફ પ્રેરિત કરે છે.
૩૦ ૦ સંવાદ