SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય 2) છે. મૃત્યુ શરીરનું થાય છે. શરીર બદલાય છે. આ 5) વિચારથી મૃત્યુના ભયથી મુક્ત બનો. પરંતુ જિંદગીનો જ ભરોસો નથી. સાજ-સારો માણસ પણ ક્ષણવારમાં એક / જ “હાર્ટએટેકથી ઢળી પડે છે. માટે જે કંઈ સારાં કામ કરવાં છે તે કરી લો. જે ક્ષણમાં તમે જીવો છો, એ ક્ષણ જ તમારી છે અને તમે એ ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આત્માનું કલ્યાણ સાધી શકો છો. એક વાત તમે આત્મસાક્ષીએ નક્કી કરી લો કે આ જીવનનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્ય છે આત્માના કલ્યાણનો. પછી, એ આત્મકલ્યાણનું કાર્ય કેવી રીતે કરવું તેનો પ્લાન તૈયાર કરો. જોકે જીવનને કઈ દૃષ્ટિએ જોવું એ એક મહાપ્રશ્ન છે. મોટાભાગના લોકોને તો સ્વજીવન તરફ જોવાની દૃષ્ટિ જ નથી ! એ તો બીજાઓ તરફ જ જોયા કરે છે... કદાચ પોતાની જાતને મૂલવે છે તો બીજાઓની દૃષ્ટિએ ! અને એ ભૂલો પડી જાય છે. સતત લડતો.. ઝઘડતો અને ૨ઝળતો રહે છે. ક્યારેક જીવનથી કંટાળીને આપઘાત કરવાનો વિચાર પણ કરી બેસે છે. એટલે જાણીતા અસ્તિત્વવાદી નવલકથાકાર આલ્બર કામુએ ફિલસૂફીનો સૌથી જટિલ પ્રશ્ન એક જપૂક્યો છે : “આપઘાત કરવો જોઈએ કે નહીં ?' ખેર - આપણે તો જીવનનો વિચાર, આયુષ્યનો વિચાર ધર્મના આધાર પર કરવાનો છે. ધર્મ એટલે જ આધાર, આ આધાર ન હોય તો જીવન જ ન ટકે. આ સૃષ્ટિ પણ ન ટકે. એટલે, બધાં દુઃખો વચ્ચે પણ જીવનને ધર્મનો જ આધાર રહેવો જોઈએ. એક ક્ષણ પણ ધર્મ વિનાની, ધર્મના સ્પર્શ વિનાની પસાર ન થવી જોઈએ. આટલી સાવધાની રાખીને જીવન જીવવાનું છે. મનુષ્યજીવનનું આયુષ્ય ઘણું જ કીમતી છે. એનું મૂલ્ય સોનાથી કે હીરા-મોતીથી આંકી શકાય એવું નથી. જો તમે મનુષ્ય જીવનની એક ક્ષણને પરમાત્માનો દિવ્ય સ્પર્શ આપો, ધર્મનો દિવ્ય સ્પર્શ આપો તો એ અસ્થિર શું છે? આયુષ્ય ૦ ૨૭
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy