________________
તમે આ ધન-કુબેર બનવાની ઘેલછામાં તમારા આત્માનું કલ્યાણ તો ચૂકી જ ગયા છો, પરંતુ તમે તમારા પરિવારના યોગક્ષેમને પણ ભૂલી ગયા છો. તમારાં દીકરા-દીકરી સ્કૂલ - કૉલેજોમાં... ક્યાં જાય છે, કેવી ક્લબોમાં જાય છે... કોની સાથે નાચે-કૂદે છે... ને તેમનાં પવિત્ર જીવનનાં ચીંથરાં ઊડી જાય છે... તમને એનું કોઈ દુઃખ છે ? જાણે કે તમારે મૃત્યુ આવવાનું જ નથી અને મૃત્યુ પછી તમે સ્વર્ગમાં જ જવાના હો, એવા નિશ્ચિત કે નફ્ફટ બનીને તમે ધન કમાવામાં મચી પડ્યા છો. એ ધન ક્ષણવારમાં ચાલ્યું જઈ શકે છે ! અથવા એ બધું મૂકીને તમે પલવારમાં પરલોકે ચાલ્યા જઈ શકો છો. પરલોકમાં કઈ ગતિમાં જનમ લેશો ? વિચાર્યું છે ? ના.
अर्थचिन्ताधमाधमा |
પૈસાની ચિંતાને અધમમાં અધમ નિષ્કૃષ્ટ ચિંતા કહી છે, કારણ કે એનાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ જીવ કરે છે. આ બે દુર્ધ્યાન કરનાર મુનષ્ય મરીને કાં નરકમાં જાય, અથવા પશુયોનિમાં જાય. પેલું મનુષ્યજીવનમાં ભેગું કરેલું ધન, ભેગા કરેલા વૈભવો... એમાંથી કંઈ પણ સાથે ન જાય. આ વાત તમે જાણો છો. જાણો છો ને ? મરવાનું નક્કી છે ને ? મર્યા પછી કોઈપણ જાતની તિજોરી સાથે નથી આવવાની, એ પણ જાણો છો ને ?
ધન ચંચળ છે.
ધન નાશવંત છે.
ધન ક્ષણિક છે.
‘આવા ચંચળ, ક્ષણિક ને નાશવંત ધન ઉપર મારે મમત્વ નથી કરવું. મારે એ ધનનો સદુપયોગ કરી દેવો છે. સન્માર્ગમાં ઉપયોગ કરવો છે. મારા વ્યક્તિગત જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાતો રાખવી છે. સાદું, સ૨ળ અને નિર્લોભી જીવન જ મારે જીવવું છે.’ આવો કોઈ સંકલ્પ કરીને જીવનના પ્રવાહને બદલો.
*
૨૪ ૭ સંવાદ
ધન