________________
ખાલીખમ હોય ત્યારે કબાટ ભરેલો હોય તે ગમે ! ભગવાન મહાવીરને પ્રાપ્ત થયેલી શાંતિ તમારે જોઈએ છે અને તે બેંકમાં પૈસા હોય તેમાંથી પ્રાપ્ત થાય છે !
સારું ફર્નિચર પણ જૂનું લાગવા માંડે છે. ઇન્ટીરિયર જ ડેકોરેટરને બોલાવીને એવી કલ્પના આપવી પડે કે આપણી અભિરુચિ કંઈ સામાન્ય કક્ષાની નથી. રસોડાના પ્લેટફોર્મ પર ગ્રેનાઇટથી ઊતરતા ખાણના પથ્થર ન શોભે ! પહેલાં આરસ કેવળ મંદિરો કે મહેલોમાં વપરાતો, હવે એ જાજરૂમાં પણ વપરાય છે. તમારું પેટ હવે રોટલા નથી ખાતું, રૂપિયા ખાય છે. એને હવે સફેદ નાણું નથી ભાવતું, કાળુ નાણું જ ભાવે છે !
મને તો એવો વહેમ છે કે જો આ જ પ્રમાણે લાંબુ ચાલ્યું તો ભવિષ્યમાં માણસની ખોરાક લેવાની ટેવ જ છૂટી જશે ! એ શેમ્પ ખાશે, લિપસ્ટિક ખાશે, વિડિયો ખાશે, સોફા ખાશે અને સેલ્યુલર ફોન પણ ખાશે ! રોટલી નહીં ખાય... હવેનું મૉડર્ન પેટ ખોરાક વગર ચલાવી શકશે, પરંતુ કોકાકોલા વગર નહીં ચલાવી શકે. હવે વલોણામાં છાશ નથી વલોવાતી, માણસ પોતે વલોવાય છે.... .
તમે લોકો વલોવાઈ રહ્યા છો, એ જાણો છો ? ધનપ્રાપ્તિની તીવ્ર ધગશમાં ભયંકર દોડાદોડી કરી રહ્યા છો. તમને તમારી જાત સાથે વાત કરવાનો સમય જ ક્યાં છે ? કેવી ભયંકર ભૂલ કરી રહ્યા છો ? જે ધન નાશવંત છે, જે પૈસા ક્ષણિક છે, તે મેળવવા, તેને રાખવા, છુપાવવા અને વાપરવા માટે તમે કેટલા બધા મનથી પરેશાન છો ?
તમે તમારી સગ્ગી આંખે જુઓ છો કે શ્યામલાલના કરોડ રૂપિયા ડૂબી ગયા ને તે રોડ પર આવી ગયો... રામલાલ લાખોપતિમાંથી રઝળી પડ્યો છે.. રતિલાલ દેવામાં ડૂબીને આપઘાત કર્યો છે... ને આવા તો સંકર્તા દાખલા તમારા નગરમાં... રાજ્યમાં તમે જુઓ છો, છાપામાં વાંચો છો... છતાં તમને કોઈ અસર નથી થતી ? ધન-સંપત્તિનું આકર્ષણ નથી છૂટતું ?
ચંચળ શું છે ? ધન ૦ ૨૩