________________
૬. ચંચળ શું છે ?
શિષ્ય “ગુરુદેવ, ચંચળ શું છે ?' ગુરુઃ “વત્સ, ધન ચંચળ છે !”
મારી સામે બેઠેલા તમે સહુ મોટાભાગે ધનવંત છો. ગુણવંત છો. યાદ રાખો કે “નાશવંત” પણ છો ! “ધન નાશવંત છે,” આ વાત તમારા ગળે ઊતરી જાય તો ધનનું મમત્વ છૂટી જાય. ધનનું મમત્વ છૂટી જાય તો દાનની અવિરત ધારા વહેતી થઈ જાય !
આજે જે ધનવંત છે, જેની પાસે બંગલો છે, મોટો ફ્લેટ છે. બે-ત્રણ ગાડી છે તેને તમે સુખી કહો છો. એક જમાનામાં કોઈ માણસ સુખી હોય તો કહેવાતું કે એ ખાધેપીધે સુખી છે. એ જમાનામાં સુખી ઘર “રોટલે પહોચતું' કહેવાતું. હવે સમય બદલાયો છે. જે માણસ ખૂબ જ સુખી ગણાય તે ઘણુંખરું ખાધેપીધે દુઃખી હોય છે ! એની મોટરકારના પ્રત્યેક પૈડા પર બેઠેલી મહામારી એને વળગેલી હોય છે. ડૉક્ટરે એના ખાનપાન પર જાપ્તો મૂકેલો હોય છે આજનો શ્રીમત-ધનવંત માણસ દુઃખી થવાનો મૂળભૂત અધિકાર ભોગવી રહ્યો છે.
માણસની સઘળી પીડાઓના મૂળમાં એક આ બાબત રહેલી જણાય છે અને તે છે ધન-સંપત્તિને શાશ્વત બનાવવાની ! “આ સંપત્તિ મારી જ પાસે રહેવી જોઈએ કરોડ, સો કરોડ, હજાર કરોડ... અબજો રૂપિયા મારે જોઈએ.” એટલે હવે એકવીસમી સદીમાં પેટ હવે કેવળ રોટલે રાજી રહેવા તૈયાર નથી. ગમે તેટલો મોટો પગાર પણ એને નાનો પડે છે. ગમે તેટલું સારું ઘર એને ઊતરતું જણાય છે. સ્ટીલના કબાટમાં દોઢસો સાડી, લટકતી હોય તોય એક સો એકાવનમી સાડી ખરીદવી પડે છે. મગજ
૨૨ ૦ સંવાદ