SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જેવો મોટો ચમત્કાર પૃથ્વી પર બીજો એકેય નથી. અબુધને બુધ બનાવનાર, અવિવેકીને વિવેકી બનાવનાર ઉપદેશનો ચમત્કાર જ આપ કરતા રહો.’ ‘અમે ભણેલા-ગણેલા છીએ. અમે શાસ્ત્રજ્ઞ છીએ, અમે વિદ્વાન છીએ...’ આવું માનનારા અને સમજનારાઓએ આત્મસાક્ષીએ વિચારવું જોઈએ કે તેમનામાં વિવેકનો દીવો પ્રગટ્યો છે ? ‘હું આત્મા છું... અનંતકાળથી સંસારની ચાર ગતિઓમાં (સ્વર્ગ, નરક, મનુષ્ય, તિર્યંચ) જન્મ-મરણ કરી રહ્યો છું. કોઈ મહાન પુણ્યકર્મના ઉદયથી આવું સાદું મનુષ્યજીવન મળ્યું છે. પરિપૂર્ણ માનવદેહ મળ્યો છે... સારાં સ્વજનો મળ્યાં છે. શ્રેષ્ઠ પરમાત્મતત્ત્વ અને ગુરુતત્ત્વ મળ્યું છે. ઉત્તમ ધર્મ મળ્યો છે, ઘણી ઘણી અનુકૂળતાઓ મળી છે... તો મારે મનવચન-કાયાથી ધરખમ ધર્મપુરુષાર્થ કરી લેવો જોઈએ.’ વિવેકી આવું કોઈ જ્ઞાનનું અજવાળુ અંદર પ્રગટ્યું છે ખરું ? કે પછી અંધકારમાં જ અટવાયા કરો છો ? ભીતરમાં જો શાન્તિનો અનુભવ થતો `ય તો સમજવું કે વિવેકનું અજવાળું થયું છે. તે તમારા જીવનમાં અશાન્તિ, અજંપો અને ધાંધલ-ધમાલ તો સમજી લેવાનું કે તમે પંડિત નથી, વિદ્વાન નથી કારણ કે તમારામાં વિવેક પ્રગટ્યો નથી. જીવન પ્રત્યેનો તમારો અભિગમ સમ્યગ્ બનાવો. જીવનમાં તમારે જે ધર્મપુરુષાર્થ કરવો છે, જે આત્મકલ્યાણના માર્ગે ચાલવું છે, તેની સાથે તમારું તાદાત્મ્ય સધાઈ જવું જોઈએ. સાથે સાથે, પરમાત્મતત્ત્વ અને ગુરુતત્ત્વનાં પરિબળોને આધીન રહેશો તો તમારું જીવન ભર્યું ભર્યું અને સરસ રહેવાનું. તમે સમજી રાખો કે તમારા આ જીવનનું એક ખાસ મહત્ત્વ છે. તમારો કોઈ વિશિષ્ટ સ્વધર્મ છે, સ્વકર્તવ્યાં છે. એટલે, જાત સાથે એકલા પડી ગાઢ મૌનમાં ઊતરી પેલી વાતો... ‘હું કોણ છું ? ક્યાંથી આવ્યો ૧૬ ૭ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy