________________
વિવેકી
M)ધર્મમાં કોઈને શ્રદ્ધા ન હતી. બુદ્ધના એક નવા શિષ્ય 5) ભગવાનને કહ્યું : “ભગવનું, આ સરસ માંકો છે.
એકાદ ચમત્કાર એવા કરો કે બધા બ્રાહ્મણો અભિભૂત TV/ થઈ જાય. પછી એ બધા આપના અનુયાયી થઈ જશે.
જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર !' બુદ્ધ હસીને કહ્યું : “વત્સ, ચમત્કાર કરીશું. તને નાના ચમત્કાર ગમ કે મોટો ચમત્કાર ?”
ભગવદ્, ચમત્કાર એટલે ચમત્કાર ! ચમત્કાર તે વળી નાના મોટા હતા હશે ?'
બુદ્ધ કહ્યું : “હા, નાના ચમત્કાર એટલે જમીનમાં દટાઈને હેમખેમ અમુક કલાકો પછી પાછા બહાર નીકળવું. ભીંત સોંસરવા ચાલ્યા જવું, પાણી ઉપર ચાલવું. આકાશમાં ઊડવું... વગેરે.'
‘તો ભગવનું, મોટો ચમત્કાર કોને કહેવાય ?”
“વત્સ, ઉપદેશનો ચમત્કાર મોટા કહેવાય. કથાનો ચમત્કાર મોટો કહેવાય. એનાથી મનુષ્ય વિવેકી બને છે. વિવેકી બને એટલે એ આત્માને ઓળખે છે.
આ મનુષ્ય જીવનનાં શ્રેષ્ઠ કર્તવ્યોને જાણે છે. એ નિર્વાણને સમજે છે. નિર્વાણના માર્ગને જાણે છે. એ પવિત્ર માર્ગે ચાલતાં શીખે છે. એ શીલવાન, ગુણવાન અને શક્તિમાન બને છે !
હવે તું જ કહ, નાના ચમત્કાર કરવા સારા કે મોટા ચમત્કાર કરવા સારા ? કયા ચમત્કારની અસર વધુ સ્થાયી રહે ? વત્સ, તું કહે એવા ચમત્કાર કરીએ !”
શિષ્ય બુદ્ધનાં ચરણોમાં નમીને કહ્યું : “ભગવાન ! ઉપદેશના ચમત્કાર
પંડિત કોણ ? વિવેકી - ૧૫