SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યાવાડે પહોંચી ગયા છે. અનેક રોગથી એમના દેહ સડી રહ્યા છે. પણ એમને કોણ સમજાવે ? સમજાવે છતાં એ સમજે ખરા ? એક ભાઈને હું જાણું છું. તેમને બે સારા મિત્રો હતા. સારાં કામ કરવામાં સાથ આપતા હતા. સારી વાતો કરનારા અસંતોષ હતા... પરંતુ એક દિવસ એક ખરાબ કામમાં સાથ ન આપ્યો, એણે એ મિત્રોને ત્યજી દીધા. બીજા મિત્રો કર્યા... અને એ મિત્રો સાથે વ્યસનોમાં લપેટાતા ગયા. જુગાર... શરાબ... જેવાં પાપોના કુંડાળામાં પડી ગયા. અસંતોષ ! કોઈ વાતમાં સંતોષ નહીં ! આવા માણસો ધર્મક્ષેત્રમાં તો પ્રવેશી જ ન શકે. એમને ધર્મ સૂઝે જ નહીં ! અને કદાચ ધર્મ કરે તો પોતાના અસંતોષનો સંતોષ મેળવવા ! ‘હું આ ભગવાનનાં દર્શન-પૂજન કરીશ તો વેપારમાં સફળતા મળશે... હું ફલાણા ગુરુ મહારાજના આશીર્વાદ લઈશ તો પુત્રની પ્રાપ્તિ થશે ! હું આ વ્રત-ઉપવાસ કરીશ તો મારી અમુક ઇચ્છા પૂર્ણ થશે !’ એવા મહાનુભાવોને પણ જાણું છું કે જેમને ખૂબ માન-સન્માન મળે છે, છતાં એમને સંતોષ થતો નથી. એ તો ફરિયાદ જ કરતા રહે છે ઃ ‘સમાજને મારી કદર નથી ! દુનિયા સ્વાર્થી છે... હું બધાના માટે મરી પડું છું... પણ મને કોઈ પ્રેમ આપતું નથી...' ઢગલાબંધ હાર પહેરાવવા છતાં અને ચાંદીનાં શ્રીફળ એમનાં કરકમલોમાં અર્પવા છતાં એમને સંતોષ નથી ! માન-સન્માનની ભૂખ સંતોષાતી નથી ! આવા માણસો માનસિક રીતે દુઃખી જ રહેવાના. એવી રીતે ઘણા માણસો (આજના કાળે વિશેષરૂપે) ઘરના ભોજનથી સંતોષ નથી માનતા. ઘરમાં સારામાં સારી રસોઈ બનતી હોય છતાં એ ૨સોઇ નથી ભાવતી ! એને તો હૉટલનું જ ભોજન ભાવે ! સપ્તાહમાં એકબે વાર તો મોંઘી હૉટલમાં જમવા જવાનું જ ! ફેમીલી સાથે જવાનું ! ભલે પછી શરીર બગડે... ડૉક્ટરો પાસે જવું પડે... ને દવાઓ ખાવી પડે ! માણસને હવે ઘરમાં સંતોષ નથી ! ઘરના ભોજનમાં સંતોષ નથી. ૧૨ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy