SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયાસક્ત મન અશુદ્ધ હોય છે, વિષયવિરક્ત મન શુદ્ધ હોય છે; એટલે કહેવામાં આવ્યું છે : ‘વન્યાય વિષયાસń, મુર્ત્ત નિર્વિષયં મૃતમ્ ।' તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ મન છે, હૃદય છે, પવિત્ર વસ્તુઓમાં અતિપવિત્ર વિશુદ્ધ મન છે ! ‘તીર્ચાનાં હૃદ્ય તીર્થ, શુદ્દીનાં હૃવયં શુવિઃ ।' મનને તીર્થ બનાવવાનું છે ! મન ત્યારે તારક તીર્થ બને કે જ્યારે એ શુદ્ધ બને. પવિત્ર બને. શુદ્ધ એક મહર્ષિએ લખ્યું છે : ‘તન્માન યંત્ર મનઃપ્રસન્નમ્ ।' તમારું મન પ્રસન્ન હોય ત્યારે એ મંગલરૂપ બને છે. પ્રસન્નતાની પળોમાં તમે જે સારું કામ કરો તે કામ સફળ થાય. એટલે જ્યોતિષી પણ કહે છે કે ‘મનનો ઉલ્લાસ-ઉત્સાહ એ શ્રેષ્ઠ મુહૂર્ત છે !' મહાકવિ ભારવિએ કહ્યું છે : ‘યુરિવતે મનસિ સર્વમસહ્યમ્ ।' જો તમારું મન દુઃખી છે તો તમને બધું જ અસહ્ય લાગશે. માટે મનને દુઃખના દરિયામાં ડૂબવા ન દેવું ! તરતું રહે તો વાંધો ન આવે. કોઇ શુભ વિચારની નાવ મળી જાય. ભલે તમે વિદ્વાન હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ જો તમે અનિત્યાદિ ભાવનાઓમાં રમમાણ નહીં હો, ભાવનાઓથી મનને ભાવિત નહીં બનો તો તમારું મન પ્રસન્ન નહીં રહે, શુદ્ધ નહીં રહે, તમે શાન્તિ કે સમતાનો આસ્વાદ નહીં કરી શકો. કારણ કે આ દુનિયા મોહવિષાદથી ભરીભરી છે ! બુધ હોય કે અબુધ હોય, ધનવાન હોય કે નિર્ધન હોય, પ્રાજ્ઞ હોય કે અન્ન હોય, ભીતરની શાન્તિ તેને જ મળે છે કે જે પ્રતિદિન શુભ ભાવનાઓનું ચિંતન-મનન કરતો રહે છે. હર પ્રસંગ, હર પળ દરેક ઘટના પર ભાવનાની દૃષ્ટિથી જે માણસો જુએ છે, વિચારે છે તેઓ કદી અશાન્ત-ઉદ્વિગ્ન બંતા નથી. આ દુનિયા મોહવિષાદના ઝેરથી વ્યાપ્ત છે. દુનિયામાં સર્વત્ર મોહવિષાદનું ઝેર વ્યાપેલું છે અને જીવોનાં પોતપોતાનાં પાપકર્મો પણ હોય છે. કર્મોના ઉદય મુજબ સુખ-દુઃખનાં પવિત્ર શું ? શબ્દ મન ૭
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy