SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પવિત્ર શું ? શુદ્ધ મન શિષ્ય પૂછે છે : ‘ગુરુદેવ, પવિત્ર શું જોઈએ ?’ ગુરુ કહે છે : ‘શુદ્ધ મન !! માત્ર બે અક્ષરઃ મન. તમે જ્ઞાની હૉ કે અજ્ઞાની હો, મનનો પાર કોણ પામી શકે છે ? મનની સાથે જ રાગ-દ્વેષ અને મોહ સંકળાયેલા છે ! અભય, અદ્વેષ અને અખૈદ પણ મન સાથે જ જોડાયેલાં તત્ત્વો છે. શ્રીમંત તા હોય પણ મનનો મેલો હોય તો એ શ્રીમંત હોવા છતાંય ભિખારી છે. ભિખારી હોય પણ મનનો ઊજળો હોય, મનથી મસ્ત હોય, ઓલિયા ને અલગારી હોય તો એના જેવો કોઈ શ્રીમંત નથી ! પણ મનનાં કોઇ ધારાધોરણ હોતાં નથી. ક્યારેક પ્રસન્નતાભર્યા વાતાવ૨ણમાં એ ઉદાસ થઈ જાય છે, અને ક્યારેક ઉદાસીના બળબળતા રણમાં આનંદનો કોઈ લય લહેરાય છે ! જેમ કે પથ્થરમાં ઝરણું ફૂટે ! એવી જ રીતે મનનું કોઈ પાકું ગણિત નથી. જેને એ ચિક્કાર ચાહે છે એને ચિક્કાર ધિક્કારે છે ! તો ક્યારેક ધિક્કારની વચ્ચે પણ વહાલની સરવાણી ફૂટ છે ! આપણું મન આપણને વશ ક્યાં છે ? ક્યારેક એ ભૂતકાળની સ્મૃતિમાં રમતું હોય છે, તો ક્યારેક ભવિષ્યના સ્વપ્નમાં રાચતું હોય છે ! ક્યારેક પવિત્ર સ્થાનમાં અપવિત્ર વિચારો કરે છે, તો ક્યારેક ઉકરડાની વચ્ચે પવિત્ર વિચારો કરે છે ! ક્યારેક પ્રવૃત્તિમાં ધમધમતું હોય છે ત્યારે નિવૃત્તિ ઝંખે છે અને નિરાંતની પળોમાં પ્રવૃત્તિ ચાહે છે ! આવા મનને કેમ-કેવી રીતે સ્થિર કરવું. અર્થાત્ કેવી રીતે શુદ્ધ કરવું તે ગંભીરતાથી વિચારવું જોઇએ. મનને પવિત્ર કરવાના ઉપાયો શોધી કાઢવા જોઈએ. છે ઉપાયો. ઉપાયો જાણીને અમલમાં મૂકવા પડે. સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy