________________
દાનથી કીર્તિ વધે છે. દાનથી નિર્મળ શરી૨કાંતિ વધે છે અને દાનથી વશ થયેલો શત્રુ પણ દાતાની સેવા કરે છે !
ધન્ના સાર્થવાહના ભવમાં સાધુપુરુષોને જે ઘીનું દાન દીધું હતું એ જ પુણ્યપ્રભાવે એ ધન્ના સાર્થવાહ ત્રણ લોકના નાથ ભગવાન ઋષભદેવ બન્યા.
બીજો ધર્મ છે શીલધર્મ : શીલધર્મનો અદ્ભુત મહિમા ગાતાં ઋષિએ ગાયું છે - ‘શીલ જ જીવોનું ઉત્તમ ધન છે. શીલ જ ૫૨મ મંગલ છે, શીલ જ દુઃખ-દરિદ્રતા દૂર કરે છે અને શીલ જ સર્વ સુખોનું ધામ છે !'
શીલ જ ધર્મનું નિધાન છે. શીલ જ પાપોનો નાશ કરે છે અને શીલ જ મનુષ્યનો શ્રેષ્ઠ શૃંગાર છે !
નરકનાં દ્વાર બંધ કરવા માટે શીલ જ મજબૂત કમાડ છે અને તે દેવલોકના ઉજ્જ્વલ વિમાન પર આરૂઢ થવા માટે શ્રેષ્ટ સીડી છે. એક કવિએ ગાયું છે :
શીયલ સમું વ્રત કો નહીં, શ્રી જિનવર એમ ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે રે...
ત્રીજો ધર્મ છે તપધર્મ : આ તપધર્મનો મહિમા અપરંપાર છે ! તપને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે ! આ કલ્પવૃક્ષનું મૂળ છે સંતોષ. એની વિસ્તૃત ઘટા છે શાન્તિ. એની શાખાઓ છે ઇન્દ્રિયનિરોધ, એનાં સુંદર પાન છે અભયદાન. એનાં પલ્લવ છે શીલસંપત્તિ. તેનાં પુષ્પો છે શ્રદ્ધારૂપ જળસિંચનથી પ્રફુલ્લિત વિસ્તીર્ણ કુળ, બળ, ઐશ્વર્ય અને સૌન્દર્યથી ભરપૂર સ્વર્ગ ! આવું કલ્પવૃક્ષ છેવટે મોક્ષસુખનું શ્રેષ્ઠ ફળ આપે છે !
ચોથો ધર્મ છે ભાવધર્મ : ચારે પ્રકારના ધર્મોમાં ભાવધર્મ શ્રેષ્ઠ ધર્મ બતાવવામાં આવ્યો છે.
'भावच्चिय परमत्थो भावो धम्मस्स साहगो भणिओ !'
ભાવ જ સાચો પરમાર્થ છે અને ભાવ જ દરેક ધર્મસાધનામાં સહાયક છે.
શ્રેષ્ઠ પૃથ્ય શું ? ધર્મ ૦ ૩