________________
PDRO)
* તમારે ધન-સંપત્તિનું સુખ જોઈએ છે ? ધર્મ આપે છે.
જ તમારે ઇન્દ્રિયોના પ્રિય વિષયોનું સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. > તમારે સ્વર્ગનાં સુખો જોઈએ છે ? ધર્મ આપે છે.
તમારે મોક્ષનું પરમ સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. તમે “ધર્મ પર વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખો. ધર્મને તમે પરમ મિત્ર માનો. “ઘા નમતે સર્વમ્ ' ધર્મથી બધું જ મળે છે. પાપોથી સુખ તેં નહીં જ મળે.
ધર્મનાં જુદાં જુદાં સ્વરૂપ અને પ્રકારો ધર્મગ્રંથોમાં બતાવવામાં આવ્યાં છે. પરંતુ મારે તમને આજે ચાર પ્રકારનો ધર્મ બતાવવો છે. તે ચાર પ્રકારો છે. ૧. દાન, ૨. શીલ, ૩. તપ અને ૪. ભાવ.
दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबांधवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ।।
- શાન્ત સુધારસ જગતના હિત માટે, કલ્યાણ માટે જિનેશ્વર ભગવંતોએ દાનશીલ-તપ અને ભાવ, ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્મોનું મારા મનમાં નિરંતર સ્થાન રહો.”
પહેલો ધર્મ છે દાનધર્મ : દાનની પરિભાષા છે “સ્વરા ઉત્સ તાન!” જે પોતાનું છે તેનો ત્યાગ કરવો એ દાનધર્મ છે. જે મનુષ્યોને ભૌતિક પદાર્થોની આસક્તિ ઓછી થાય અને જેમનામાં અનુકંપા, દયા, કરુણા આદિ ગુણો પ્રગટ થયા હોય તે પુણ્યશાળી મનુષ્યો દાનધર્મની આરાધના કરી શકે છે. આ ધર્મ જૈનો કરી શકે, જૈનેતરો પણ કરી શકે !
દાનધર્મનો મહિમા જ્ઞાની પુરુષોએ ખૂબ ખૂબ ગાયો છે !
દાન સુખ-સૌભાગ્યકારી છે. દાન પરમ આરોગ્યકારી છે. દાન પુણ્યનિધાન છે. અને દાન અનેક ગુણોનું સ્થાન છે.
૨ ૦ સંવાદ