________________
૧. શ્રેષ્ઠ પથ્ય શું ?
ધર્મ
શિષ્ય પૂછે છે : ‘ગુરુદેવ, શ્રેષ્ઠ પથ્ય શું છે ?
ગુરુ કહે છે : ‘શ્રેષ્ઠ પથ્ય ધર્મ છે.’
વૈઘ સલાહ આપે છે કે શરીર નીરોગી રાખવું હોય તો કુપથ્યનું સેવન ના કરશો. પથ્યનું સેવન કરજો. જો તમારી વાયુપ્રકૃતિ છે તો વાલવટાણા વગેરે કુપથ્ય છે. જો તમારી પિત્તપ્રકૃતિ છે તો મરચું વગેરે તીખા પદાર્થો કુપથ્ય કહેવાય અને જો તમારી કફપ્રકૃતિ છે તો ઘી-તેલ વગેરે કુપથ્ય કહેવાય.
જેમ શરીર માટે પથ્ય-કુપથ્યનો વિચાર ઋષિ-મુનિઓએ કરેલો છે તેમ આત્મા માટે પણ પથ્ય-કુપનું ચિંતન કરેલું છે. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ વગેરે પાપો કુપથ્ય છે. એ કુપથ્યના સેવનથી આત્માની પવિત્રતા નાશ પામે છે. માટે પાપોનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
જેવી રીતે કુપથ્ય બતાવ્યાં છે તેવી રીતે પથ્ય પણ બતાવવામાં આવ્યાં છે. પથ્યના સેવનથી આરોગ્યની અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય છે. આત્માના આરોગ્ય માટે શ્રેષ્ઠ પથ્ય બતાવવામાં આવ્યું છે ધર્મ ! ધર્મ શ્રેષ્ઠ પથ્ય છે. પાપો બધાં જ કુપથ્ય છે માટે એનો ત્યાગ કરવો જોઈએ અને ધર્મ પથ્ય છે, માટે તેનું સેવન કરવું જોઈએ. અર્થાત્ મનુષ્ય પોતાના જીવનમાં ધર્મ જીવવો જોઈએ. મનુષ્યના મનમાં, વાણીમાં અને વ્યવહારમાં ધર્મનું સર્વોપરી સ્થાન હોવું જોઈએ.
જેને જ્ઞાની-અજ્ઞાની લોકો ‘સુખ’ કહે છે, તે બધી જ જાતનાં સુખો ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
શ્રેષ્ઠ પથ્ય શું ? ધર્મ ૦ ૧