________________
उपाधिभेदजं भेदं वेत्त्यज्ञ. स्फटिके यथा । तथा कर्मकृतं भेद-मात्मन्वेवाभिमन्यते ।। १७ ।।
| आत्मनिश्चयाधिकारे]
નિઃસ્નેહને
જન્મ-જરા-મૃત્યુ વગેરે કર્મોનાં પરિણામ છે. એ કર્મકૃત ભાવ અવિકારી આત્માના નથી. છતાં અવિકારી આત્મામાં કર્મકૃત વિકૃતિનો આરોપ કરનારા જ્ઞાનભ્રષ્ટ જીવો ભીષણ સંસારસાગરમાં ભટકે છે. આ રીતે કર્મકૃત વિકૃતિનો અવિકારી આત્મામાં આરોપ કરનારા સ્ફટિક રત્નને લાલ-પીળું સમજનારા જેવા અજ્ઞાની છે ! અજ્ઞાની નથી સમજતો કે સ્ફટિક જે લાલ-પીળું દેખાય છે તે તેની પાછળ રહેલા લાલપીળા કપડાને લીધે છે. તેવી રીતે આત્મામાં જે જન્માદિ વિકૃતિ દેખાય છે તે કર્મકૃત છે, આત્માની નથી.
આ સમજણને દૃઢ કરો એટલે ભેદજ્ઞાન દૃઢ થશે. ભેદજ્ઞાન દૃઢ થતાં ‘સમાધિ’ની પ્રાપ્તિ થશે. ભેદજ્ઞાનમાં સ્નેહ-રાગ ઓગળી જાય છે.
૧૭૦ ૭ સંવાદ