SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ નિઃસ્નેહન 4) કર્મોની જુલ્મી સત્તા નીચે કચડાઈ રહેલા જીવા, - કમાં દ્વારા ઠોકી બેસાડવામાં આવેલા સ્વરૂપને પોતાનું સ્વરૂપ સમજી બેઠા છે ! કમના અનુશાસનને પોતાનું / અનુશાસન સમજી લીધું છે. દીનતા, હીનતા અને AJWપરાધીનતાની ભાવના રગેરગમાં વ્યાપ્ત થઈ ગઈ છે. ત્યાં પરમ ક્રાન્તિકારી પરમાત્મા જિનશ્વરદેવ હાકલ કરે છે : જીવાત્માઓ! આ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. તમારો અધિકાર છે સંપૂર્ણ સ્વતંત્ર જીવન જીવવાનો. તમે શુદ્ધ છો, બુદ્ધ છો. નિરંજન છો. અખંડ છો. અવ્યય છ. અજર ને અમર છો. તમે તમારા મૂળભૂત સ્વરૂપને સમજો. કમની પરાધીનતામાં પેદા થતી દીનતા-હીનતાને ફગાવી દ. તમને જે રોગ, શોક, જરા, મૃત્યુ વગેરે દેખાય છે તે તો કમએ તમારી દૃષ્ટિમાં કરેલા વિકાર-અંજનને લીધે દેખાય છે. તમે મરતા નથી. તમે જન્મતા નથી. તમને કોઈ રોગ નથી. તમને કોઈ દુ:ખ નથી. તમે અજ્ઞાની નથી, તમે મોહી નથી. તમે શરીરી નથી..' આટલી સમજણ તમારા મનની “સમાધિ' છે ! બીજી સમજણ પણ “ચિત્તસમાધિ” માટે આપી દઉં. એમ માનો કે કર્મકૃત ભાવોનો કર્તા આત્મા નથી. આત્મા સ્વભાવને કર્યા છે, પરંતુ આત્મા અને કર્મોની એવી એકતા થઈ ગઈ છે કે કર્મકૃત ભાવોનું કર્તાપણુ આત્મામાં ભાસે છે ! આ જ અજ્ઞાનદશા છે ! આ અજ્ઞાનના જ અસમાધિનું કારણ છે. અધ્યાત્મસાર'માં કહેલું છે : जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मजां । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ।।१५।। आरोग्य केवलं कर्म-कृतां विकृतिमात्मनि । भ्रमन्ति भ्रष्ट विज्ञानाः भीमे संसारसागरे ।।१६।। સમાધિ કોને મળે ? નિઃસ્નેહને ૦ ૧૬૯.
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy