SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ D. મહાન કોણ ? વિશ્વોપકારો શિષ્ય : ‘ગુરુદેવ, મહાન કોણ ?” ગુરુ : ‘વત્સ, જે વિશ્વ પર ઉપકાર કરે તે.’ આ વિશ્વમાં એવા કેટલાક ઉત્તમ આત્માઓ હોય છે કે જેઓ દુનિયાના દુ:ખી જીવોને જોઈને દ્રવી ઊઠે છે. કરુણાથી છલકાઈ જાય છે. તેમના અંત:ક૨ણમાં એવી શ્રેષ્ઠ ભાવના પ્રવાહિત થાય છે : ‘મારું ચાલે તો હું બધા જ જીવોનાં દુઃખ દૂર કરું. સહુ જીવોને પરમ સુખ પમાડું.' આ ભાવનાને ફળીભૂત કરવા માટે તેઓ વિશિષ્ટ કોટિની તપ-આરાધના કરતા હોય છે. ભાવના અને આરાધનાના સમન્વયમાંથી એક અદ્ભુત શક્તિ જાગ્રત થાય છે. તેઓ ‘તીર્થંકર-નામકર્મ’ નામનું પુણ્યકર્મ નિકાચિત કરતા હોય છે. ૪૨ પ્રકારનાં પુણ્યકર્મોમાં આ ‘તીર્થંકર નામકર્મ' શ્રેષ્ઠ પુણ્યકર્મ હોય છે. આ કર્મની સાથે બીજાં અનેક શ્રેષ્ઠ કોટિનાં પુણ્યકર્મ પણ એ મહાન્ આત્માઓ બાંધતા હોય છે. એમને દુનિયાના લાખો-કરોડો આત્માઓના ઉદ્ધારનું કામ કરવાનું હોય છે. એ કામ કરવા માટે, એ વિશ્વોપકાર કરવા માટે સારામાં સારી સાધન-સામગ્રી જોઈએ ! દેવલોકના દેવો ને દેવેન્દ્રો પણ એમની સેવામાં ઉપસ્થિત રહે, તેવાં પુણ્યકર્મ જોઈએ. ઓછામાં ઓછા એક ક્રોડ દેવો તીર્થંકર પરમાત્માની સેવામાં ઉપસ્થિત રહેતા હોય છે. દેવો તીર્થંકરનો મહિમા કરતા હોય છે. જ્યાં બેસીને તીર્થંકર ધર્મોપદેશ આપે છે, એ ‘સમવસરણ'ની રચના દેવો કરે છે. રૂપાના, સોનાના ને રત્નોના ગઢ બનાવે છે. સિંહાસન રચે છે ! અતિ સુંદર રચના કરે છે. હજારો-લાખો સ્ત્રી-પુરુષમાં અને પશુ-પક્ષીઓ ત્યાં મહાન કોણ ? વિશ્નોપારી – ૧,૧૧
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy