SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ 5) mo. 9તો કોણ જાણો છો ? મૂઢ બુદ્ધિ શિષ્ય ગુરુદેવ, “રવીને કોણ નથી જાણતું?” ગુરુ “વત્સ, મૂઢબુદ્ધિ મનુષ્ય “સ્વને નથી જાણતો.' શ્રમણ ભગવાન મહાવીર દેવે કહ્યું છે : “ગો નવું સો સર્વ નાખs / જે એકને જાણે છે તે બધું જાણે છે.' એ ‘એક’ એટલે આપણે પોતે ! આપણે પોતે એટલે આપણી જાત ! આપણી જાત એટલે આપણો આત્મા ! આપણે જો આપણા આત્માને નથી જાણતા તો મૂઢ છીએ. આપણો આત્મા એટલે આપણે પોતે ! આપણે આપણી જાતને - સ્વયંને નથી જાણતા તો મૂઢ છીએ, મૂર્ખ છીએ. પછી ભલે આખી દુનિયાનું ડહાપણ ડહોળવા હોઈએ. ડહાપણનો દરિયો ઉલેચતા હોઈએ. આપણે આપણા આત્માને યાદ કરીએ છીએ ? “હું કોણ ?' આવો પ્રશ્ન આપણી ભીતર ઊઠ્યો છે ? ક્યાંથી આત્માની યાત્રા, ભવયાત્રા શરૂ થઈ અને ક્યાં પૂરી થવાની, એનો વિચાર કર્યો છે ? ચાલો આજે એ ચિંતન કરીએ. આપણો આત્મા પહેલવહેલો સૂક્ષ્મ નિગોદમાં હતો. ત્યાં અનંત કાળ સુધી જન્મ-મૃત્યુનો ચકરાવો ચાલતો રહ્યો. ત્યાં માત્ર સ્પર્શ-ઇન્દ્રિય જ હતી. મન ન હતું કે બીજી ઇન્દ્રિયો પણ ન હતી. ત્યાં પરમાત્માનું દર્શન અસંભવ હતું. આ સૃષ્ટિમાં સૂક્ષ્મ નિગોદના જીવોનો “જીવ' રૂપે વ્યવહાર જાતને કોણ નથી જાણતું? મૃઢ બુદ્ધિ ૧૫૯
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy