________________
5) mo. 9તો કોણ જાણો છો ?
મૂઢ બુદ્ધિ
શિષ્ય ગુરુદેવ, “રવીને કોણ નથી જાણતું?” ગુરુ “વત્સ, મૂઢબુદ્ધિ મનુષ્ય “સ્વને નથી જાણતો.'
શ્રમણ ભગવાન મહાવીર દેવે કહ્યું છે : “ગો નવું સો સર્વ નાખs / જે એકને જાણે છે તે બધું જાણે છે.'
એ ‘એક’ એટલે આપણે પોતે ! આપણે પોતે એટલે આપણી જાત ! આપણી જાત એટલે આપણો આત્મા ! આપણે જો આપણા આત્માને નથી જાણતા તો મૂઢ છીએ.
આપણો આત્મા એટલે આપણે પોતે ! આપણે આપણી જાતને - સ્વયંને નથી જાણતા તો મૂઢ છીએ, મૂર્ખ છીએ. પછી ભલે આખી દુનિયાનું ડહાપણ ડહોળવા હોઈએ. ડહાપણનો દરિયો ઉલેચતા હોઈએ.
આપણે આપણા આત્માને યાદ કરીએ છીએ ? “હું કોણ ?' આવો પ્રશ્ન આપણી ભીતર ઊઠ્યો છે ? ક્યાંથી આત્માની યાત્રા, ભવયાત્રા શરૂ થઈ અને ક્યાં પૂરી થવાની, એનો વિચાર કર્યો છે ? ચાલો આજે એ ચિંતન કરીએ.
આપણો આત્મા પહેલવહેલો સૂક્ષ્મ નિગોદમાં હતો. ત્યાં અનંત કાળ સુધી જન્મ-મૃત્યુનો ચકરાવો ચાલતો રહ્યો. ત્યાં માત્ર સ્પર્શ-ઇન્દ્રિય જ હતી. મન ન હતું કે બીજી ઇન્દ્રિયો પણ ન હતી. ત્યાં પરમાત્માનું દર્શન અસંભવ હતું. આ સૃષ્ટિમાં સૂક્ષ્મ નિગોદના જીવોનો “જીવ' રૂપે વ્યવહાર
જાતને કોણ નથી જાણતું? મૃઢ બુદ્ધિ ૧૫૯