________________
પેલી રાણી, પતિ અને પુત્ર બંને તરફ તીવ્ર રોષ કરતી મરે છે. મરીને એ પેલા પહાડની એક્ ગુફામાં સિંહણ બને છે. આ પિતા-પુત્ર ચાર મહિનાના પવાસના પારણે ગુફામાંથી બહાર નીકળે છે... ત્યારે પેલી સિંહણ આમને જુએ છે ! પેલો પૂર્વજન્મનો પાળેલા સ્વજનદ્વેષ જાગ્રત થાય છે... ને સિંહણ સુકોશલ મુનિ પર તૂટી પડે છે. દેહને ચીરી નાંખે છે. સુકોશલ મુનિ તો દેહ પર મમત્વ વિનાના હતા ! આમેય દેહના મમત્વથી, બંધનથી છૂટવું જ હતું ! તેઓ સદા માટે દેહના બંધનમાંથી, કર્મોના બંધનમાંથી છૂટી ગયા. તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની ગયા.
મમત્વ
સ્વજનમમત્વ, સ્વજન-દ્વેષમાં પરિવર્તિત થઈને કેવા વિનાશ વેરે છે, તે સમજવા માટે તમે ‘સમરાદિત્ય મહાકથા' વાંચો. નવ-નવ જન્મોની એ કથામાં સ્વજનમમત્વની કરુણ કથાઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે. અને તમારા સંસારમાં જો તમે આંખો ખોલીને જુઓ તો ઢગલાબંધ વિતકકથાઓ જોવા મળે એમ છે.
એવી જ રીતે ધન-સંપત્તિનું મમત્વ પણ લોખંડી બંધન છે. ધનસંપત્તિ હોવા માત્રથી મમત્વ નથી બનતું. જે લોકો અજ્ઞાની છે, મોહાંધ છે તે સંપત્તિને પોતાની માને છે. છોડવા, ત્યાગવા તૈયાર થતા નથી, તેનું કારણ મમત્વ હોય છે. ને આ મમત્વ જ મનુષ્ય પાસે હિંસા, જૂઠ, ચોરી, અનીતિ, અન્યાય, અપ્રામાણિકતા આદિના વિષચક્રમાં ફસાવે છે.
મનુષ્યજીવન જીવવા સ્નેહી-સ્વજનો પણ જોઈએ, ધન-સંપત્તિ પણ જોઈએ અને શરીરનાં સુખ પણ જોઈએ, ત્યાં સુધી વાંધો નથી. પણ ‘આ મારું જ છે' આ મમત્વ ખોટું છે. અથવા ‘આ તો મારે જોઈએ જ' આ મમત્વ નુકસાનકારક છે.
ભલે માણસ પાસે કરોડ રૂપિયા હોય, પણ એને ક૨ોડ પ૨ મમત્વ નથી તો મુંબઈની એ ઉદાર બાઈએ ભગવાનના નામ પર હૉસ્પિટલ બાંધવા એક કરોડ રૂપિયા આપી દીધા !
બંધનનું કારણ શું ? મમત્વ ૭ ૧૫૩