SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ એક મિત્રે પોતાના મિત્ર પાસે બે લાખના હિરા જોયા અને એ હીરા પર મમત્વ જાગ્યું ! મિત્રનો વિશ્વાસ સંપાદન કરેલો હતો. પોતાના રૂમમાં સૂતેલા મિત્રના ગળા પર છરી ફેરવી દીધી. હીરા પોતાના કરી લીધા.. પણ એનો અંજામ સારો ન આવ્યો. એ પકડાઈ ગયો. મિત્રહત્યાનું ઘોર પાપ તો કર્યું જ હતું. વર્ષો સુધી જેલમાં રહેવું પડ્યું. પરલોકમાં શું થશે તે જ્ઞાની જાણે ! એવી રીતે કાયાની, પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઉપયોગિતા તો જીવનમાં રહેવાની જ. પરંતુ એ કાયા પર મમત્વ ન જોઈએ. કાયાનું મહત્વ ખતરનાક હોય છે. તે માટે તમે કંડરિક મુનિનું દષ્ટાંત યાદ કરજો. એમના પતનનું કારણ શરીરનું મમત્વ બન્યું હતું ! ભિક્ષા માટે નીકળેલા બાળમુનિનું પતન પણ શરીરના મહત્વના પાપે થયું હતું ને! શરીરને ટકાવવા વિષયો આપવા તે મમત્વ નથી. જીવન જીવવા મુમુક્ષુ ધન-સંપત્તિ રાખે તે મમત્વ નથી. કર્તવ્યપાલનની દૃષ્ટિએ સ્વજન-પરિજનોનું પાલન કરે તે મમત્વ નથી. “એટેચમેન્ટ' ન જોઈએ. એ તીવ્ર પાપકર્મ બંધાવે છે અને ભવોભવ ભટકાવે છે. માટે નિર્લેપ કમળ જેવા બનીને જીવવાનું છે ! ૧૫૪ ૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy