________________
કહેવાનું તાત્પર્ય એ છે કે મુમુક્ષુને રાગરહિત હૈયે ના છૂટકે આહાર કરવાનો હોય છે. આહારવિષયક સારા-નરસાની કોઈ ચર્ચા નહીં, કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં. એ આહાર મોઢામાં નાંખ્યા પછી એને રસપૂર્વક ચાવવાનો નથી. મોઢામાં મમળાવવાનો નથી. સીધો ગળે ઉતારી જવાનો છે. જેવી રીતે સર્પ પોતાના ભક્ષ્યને પેટમાં પધરાવી દે છે તેવી રીતે મુમુક્ષુ આહારનો સ્વાદ માણ્યા વિના ગળે ઉતારી જાય !
નિરપે
શરીર
રસાસ્વાદ માટે કે શરીરની પુષ્ટિ માટે મુમુક્ષુ આહાર-ભોજન ન કરે. એને પોતાના સંયમયોગો-સ્વાધ્યાય, ધ્યાન, ભિક્ષા-પરિભ્રમણ, વિહાર વગેરે સારી રીતે આરાધાય, એટલા પૂરતું જ શરી૨ ટકાવવાનું હોય છે. એ શરીરનું લાલન-પાલન ન કરે. શરીર પ્રત્યે અનાસક્ત મુમુક્ષુ આહાર અને વસ્ત્રો પ્રત્યે પણ આસક્તિરહિત હોય.
૧૫૦ ૭ સંવાદ
હે મુમુક્ષુ ! તમારે લાકડા જેવા લાગણીહીન (શરીર પ્રત્યે) બની જવાનું છે. ન રાગની લાગણી, ન દ્વેષની લાગણી. તમારી પાસે ષડ્સનાં ભોજન આવે તો પણ રાગ નથી કરવાનો અને રસહીન-બેસ્વાદ ભોજન આવે તો દ્વેષ નથી કરવાનો ! રાગ-દ્વેષથી મનને મુક્ત રાખીને શ૨ી૨ને આહાર આપવાનો છે, કારણ કે તમે શરીર પ્રત્યે ર્નિરપેક્ષ રહો છો.