________________
જ્યારે વિવેકી-જાગ્રત તત્ત્વદૃષ્ટિ આત્મા તા 3 95 પોતાના અંતરાત્માના સુખથી જ પૂર્ણ હોય છે. તે સુખની કામના કે સ્પૃહા તેને હોતી નથી. તેથી તે બહિર્ભાવની વાડીમાં જતો જ નથી. કદાચ એ વાડીમાંથી - પસાર થવું પડે તો એ વિષવૃક્ષની વાડીની સુંદરતામાં લુબ્ધ થતા નથી. અંજાઈ જતો નથી કે સુખની ઇચ્છાથી એ વિષવૃક્ષની છાયામાં બેસતો નથી.
સ્થૂલભદ્રજી અંત સુખથી તત્ત્વદૃષ્ટિના સુખથી પૂર્ણ હતા, વિવેકી હતા તે નિર્ભય હતા. કોશાએ તેમને વિષવૃક્ષની વાડીમાં જ ઉતારો આપ્યો હતો ચાતુર્માસ વ્યતીત કરવા ! પણ સ્થૂલભદ્રજી જાગૃત હતા ! તત્ત્વદષ્ટિ હતી ! તેઓ કોશાનાં ભોગસુખોમાં જરાય ના લલચાયા. તેમણે તો કોશાની દૃષ્ટિમાં વિવેકનું અંજન કર્યું ! તેને ભવભ્રમણના ભયથી મુક્ત કરી, નિર્ભય કરી !
આમ તો જાગૃત આત્માનો વિવેક એને આત્મા અને કર્મોનું ભેદજ્ઞાન કરાવે છે ! કર્મ અને જીવ એકબીજા સાથે દૂધ અને પાણીની જેમ એકમેક છે. અનાદિકાળથી એકમેક છે. તેમને તેમનાં લક્ષણો દ્વારા ભિન્ન સમજવા એ વિવેક છે. અવિઘાથી મુક્ત આત્મા પુદ્ગલથી ભિન્ન આત્માનું દર્શન કરે, તે વિવેક છે. આ વિવેકનું નામ જાગૃતિ ! આવી જાગૃતિ પૂર્ણ નિર્ભયતા આપે છે.
૧૪ - સંવાદ