SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ હોય. હર્ષશોકરહિત હોય આનંદ-વિષાદરહિત હોય. અરૂપી આત્માનું પણ પ્રત્યક્ષ દર્શન હોય. આ પૂર્ણ તત્ત્વદૃષ્ટિવાળું કેવળજ્ઞાન કહેવાય. ‘વર્ણ, ગંધ, રસ, રૂપ અને ગંધમાં મોહાસક્ત ન બનો, આત્મસ્વરૂપમાં રમણ કરનારા બનો, તો જ પૂર્ણતા પ્રાપ્ત થાય.” આ ઉપદેશનો સાર છે. આત્મસ્મરણ, આત્મરતિ, આત્મસ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવા સમ્યગુ શ્રુતજ્ઞાનમાં લીનતા પ્રાપ્ત કરવી પડે. સમ્યક ચારિત્રથી જીવનને સંયમી કરવું પડે. અવિવેકી એટલે ઊંઘતો જીવાત્મા ! તે બાહ્યદષ્ટિ હોય. તે બ્રાન્તિનાં વિષવૃક્ષોની વાડીમાં જ પડ્યોપાથર્યો રહે ! જ્યારે તત્ત્વદૃષ્ટિસંપન્ન જાગૃત આત્મા એ ભ્રાન્તિનાં વૃક્ષોની છાયામાં આરામ પણ ન કરે. નિર્ભય બનીને સૂઈ જાય. એ જાણતો હોય છે કે અહીં સૂવામાં પ્રાણનું પણ જોખમ છે. કદાચ એ વિષવૃક્ષોની ઘટામાંથી પસાર થવું પડે, પણ એના તરફ એ આકર્ષાય નહીં. - અવિવેકમાં - અજાગૃતિમાં ઉ “મÉઅને “મમ'ના વિકલ્પો આવે, જ ઉપાય હેય સમજાય, હેય ઉપાદેય સમજાય, જ સાચાં સુખનાં સાધનો દુઃખરૂપ લાગે જ દુર્ગતિના કારણો સુખરૂપ લાગે. * ઇન્દ્રિયોનાં વિષય ભોગ પ્રિય લાગે. રક કષાયમાં કર્તવ્ય બુદ્ધિ આવે. ક્ષમાદિ ગુણમાં નિ:સારતા લાગે. નિર્ભય કોણ? જાગૃત ૦ ૧૪૫
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy