________________
હોય. હર્ષશોકરહિત હોય આનંદ-વિષાદરહિત હોય. અરૂપી આત્માનું પણ પ્રત્યક્ષ દર્શન હોય. આ પૂર્ણ તત્ત્વદૃષ્ટિવાળું કેવળજ્ઞાન કહેવાય.
‘વર્ણ, ગંધ, રસ, રૂપ અને ગંધમાં મોહાસક્ત ન બનો, આત્મસ્વરૂપમાં રમણ કરનારા બનો, તો જ પૂર્ણતા પ્રાપ્ત થાય.” આ ઉપદેશનો સાર છે. આત્મસ્મરણ, આત્મરતિ, આત્મસ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવા સમ્યગુ શ્રુતજ્ઞાનમાં લીનતા પ્રાપ્ત કરવી પડે. સમ્યક ચારિત્રથી જીવનને સંયમી કરવું પડે.
અવિવેકી એટલે ઊંઘતો જીવાત્મા ! તે બાહ્યદષ્ટિ હોય.
તે બ્રાન્તિનાં વિષવૃક્ષોની વાડીમાં જ પડ્યોપાથર્યો રહે ! જ્યારે તત્ત્વદૃષ્ટિસંપન્ન જાગૃત આત્મા એ ભ્રાન્તિનાં વૃક્ષોની છાયામાં આરામ પણ ન કરે. નિર્ભય બનીને સૂઈ જાય. એ જાણતો હોય છે કે અહીં સૂવામાં પ્રાણનું પણ જોખમ છે. કદાચ એ વિષવૃક્ષોની ઘટામાંથી પસાર થવું પડે, પણ એના તરફ એ આકર્ષાય નહીં. - અવિવેકમાં - અજાગૃતિમાં ઉ “મÉઅને “મમ'ના વિકલ્પો આવે, જ ઉપાય હેય સમજાય,
હેય ઉપાદેય સમજાય, જ સાચાં સુખનાં સાધનો દુઃખરૂપ લાગે જ દુર્ગતિના કારણો સુખરૂપ લાગે. * ઇન્દ્રિયોનાં વિષય ભોગ પ્રિય લાગે. રક કષાયમાં કર્તવ્ય બુદ્ધિ આવે.
ક્ષમાદિ ગુણમાં નિ:સારતા લાગે.
નિર્ભય કોણ? જાગૃત ૦ ૧૪૫