________________
છે. ૩૭. મુમુક્ષ કોણ ?
શરીર-જોરપેક્ષ
શિષ્ય: “ગુરુદેવ, મુમુક્ષુ કોને કહેવો?' ગુરુ : “વત્સ, જે શરીર પ્રત્યે નિરપેક્ષ બને છે.”
મહાનુભાવો, આજે એક નવો સુંદર શબ્દ સાંભળવા મળશે ! તે શબ્દ છે મુમુક્ષુ' ! મુક્ત થવાની ઇચ્છાવાળો મનુષ્ય “મુમુક્ષુ” કહેવાય. આ દૃષ્ટિએ આપણે બધા મુમુક્ષુ કહેવાઈએ ! આપણે બધાને મુક્ત તો થવું જ છે ! મોલમાં તો જવું જ છે ! કોઈને વહેલા જવું છે, કોઈને ઉતાવળ નથી ! પણ જવું તો છે જ !
પરંતુ મોટા ભાગે લોકો જે બોલે છે તે સમજતા નથી. મોક્ષમાં જવું, મુક્તિ પામવી એટલે શું કરવું પડે ! કેવી રીતે જવાય ? ક્યાં જવાનું ? મોક્ષ-મુક્તિ-સિદ્ધિ કોઈ કલ્પના નથી. એવી એક નિશ્ચિત જગા છે. જ્યાં અત્યાર સુધીમાં અનંત આત્માઓ ગયેલા છે. તે જગાનું નામ “સિદ્ધશિલા' છે. તે લોકાંતે આવેલી છે. ૪૫ લાખ યોજનાના વિસ્તારમાં રહેલી છે ! ત્યાં સિદ્ધ-બુદ્ધ-મુક્ત આત્માઓ પૂર્ણ સુખમાં ને પૂર્ણ આનંદમાં રહેલા છે. આપણે ત્યાં જવું હોય તો શું કરવું જોઈએ, એ વાત આજે. વિચારવાની છે.
એવો એક નિયમ છે કે જેમ જેમ ઉપર જવું હોય તેમ તેમ વજન ઓછું કરવું જોઈએ. સિદ્ધશિલા સમગ્ર સૃષ્ટિની ટોચ પર છે. ત્યાં સુધી પહોંચવા માટે વજનરહિત થવું પડે ! એટલે ઓછામાં ઓછાં આટલાં વજન તો છોડવાં જ પડે : કે સ્વજન-પરિજન.
મુમુક્ષ કોણ ? શરીર નિરપેક્ષ ૦ ૧૪૭