SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મમત્વનો ત્યાગ કરાવે છે. જો મરનાર મનુષ્ય ખરેખર મમત્વનો ત્યાગ કરી દે તો તે કમ સે કમ દુર્ગતિમાં તો ન જ જાય. પરિગ્રહથી એક વાત છે. જીવનપર્યંત જેણે ખૂબ પરિગ્રહ ભેગો કર્યો હોય છે તેને મૃત્યુ સમયે એ બધું મનથી છૂટી જવું સરળ તો નથી જ. તે તાં જ સરળ બને કે જીવનમાં પરિગ્રહ તરફ જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગઈ હોય. અને ‘આ સ્થાવર જંગમ સંપત્તિ મારી નથી’. ‘હું નથી, મારું કંઈ નથી.' આ જ્ઞાનદૃષ્ટિ હોય તો જિંદગીની છેલ્લી પળો સુધરી જાય. ‘શુદ્ધાત્મદ્રવ્યમેવાઇ, શુદ્ધજ્ઞાનં મુળો મમ !' ‘હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધજ્ઞાન મારો ગુણ છે.’ આ સિવાય મારું કંઈ જ નથી ! જો તમે આ રીતે પરિગ્રહનું મમત્વ ન તોડ્યું તો એ મમત્વ તમને દુર્ગતિમાં લઈ જઈ શકે. તમારી અધોગિત કરી શકે... એનું જ નામ સર્વનાશ ! માનસિક ક્લેશ અને દુર્ગતિપતનથી બચવા પરિગ્રહ છોડો. ૧૮૨ ૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy