SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ 14 શિક્ષણ સંસ્થાઓમાં યોગદાન આપી શકો. V5) દવાખાનાંઓ ઊભાં કરી શકો. * કે દુ:ખી સાધર્મિકોને સહાય કરી શકો. A / સાધુ-સાધ્વીના જ્ઞાન-ધ્યાનમાં સહાયક બની શકો. તમારા પરિગ્રહની મર્યાદા નિશ્ચિત થઈ ગયા પછી, જે કંઈ ધન વધે તે તમારે આવાં સત્કાર્યોમાં વાપરી જ કાઢવાનું. એથી જીવનમાં ઘણાં સારાં કામ તમે કરી શકવાના. ધન-સંપત્તિ મળે છે પુણ્યકર્મના ઉદયથી. એ ધનસંપત્તિ પર જો તમે મમત્વ ન બાંધો અને એનો સત્કાર્યોમાં ઉપયોગ કરો છો, દાન આપો છો, ત્યાગ કરો છો તો નવું પુણ્યકર્મ તમે બાંધ છો. ભવાંતરમાં આનાથી પણ વધારે સંપત્તિ મળવાની. તમે અહીં સંપત્તિનું મમત્વ છોડો તો એ સંપત્તિ હજાર ગણી, લાખ ગણી, કરોડ ગણી વધીને તમને બીજા જન્મોમાં મળવાની ! ત્યાં પણ જો તમે મમત્વ નહીં બાંધો તો એ પછીના જન્મમાં તમે કલ્પી ન શકો એવી અપાર ને અદ્ભુત સંપત્તિ મળવાની ! છેવટે સંપૂર્ણ મમત્વ છૂટી જશે અને તમે અનંત સમૃદ્ધિમય સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લેવાના. હવે તમને એક સિદ્ધાન્તની વાત કરીશ. તમે કદાચ જાણતા હશે કે એક અવસર્પિણમાં જેમ ૨૪ તીર્થકરો થાય, તેમ ૧૨ ચક્રવર્તીઓ પણ થાય ! આ ચક્રવર્તઓનાં પરિગ્રહ તમે જાણો છો ? ૯૭ ક્રોડ ગામના એ માલિક હોય ! ૩૨ હજાર મુગટબદ્ધ રાજાઓના માલિક હોવ... ૧ લાખ બાણું હજાર રાણીઓનું અંતેપુર હોય અને એ સિવાય ઘણોબધો પરિગ્રહ હોય છે ! જો ચક્રવર્તી આ બધાનો ત્યાગ કરી દીક્ષા લઈ લે તો એ કાં મોક્ષમાં જાય, કાં સ્વર્ગમાં જાય ! અને દીક્ષા ન લે તો એ મરીને નરકમાં જાય ! એટલે આપણે ત્યાં એવો એક ધાર્મિક વિધિ છે કે મૃત્યુ સમયે જ કોઈ જ્ઞાની પુરુષ પાસે હોય તો મરનાર માણસ પાસે બધા જ પરિગ્રહના શાનાથી ક્લેશ અને નાશ થાય ? પરિગ્રહથી ૦ ૧૪૧
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy