________________
૩. ફોને ખુશ કરવા છે તો
સtiાત્માઓ, સાથે આ
શિષ્ય : ‘ગુરુદેવ, ખરેખર કોને ખુશ કરવા જોઈએ?” ગુરુ વત્સ, પોતાના આત્માને અને સદ્ગુરુને ખુશ રાખો.'
મહાનુભાવો, આ દુનિયામાં માણસે ઘણાને ખુશ કરીને જીવવું પડે છે. પરંતુ મોટા ભાગના માણસો બીજાઓને નાખુશ કરીને જીવતા હોય છે. પરિણામે એમનાં જીવન અશાન્તિથી ઊભરાતાં હોય છે.
ઘરમાં, પડોસમાં, સમાજમાં ઘણા માણસોને ખુશ રાખવા પ્રયત્ન કરનાર માણસ જ્યારે કંટાળે છે, અને સમજવા લાગે છે કે “આ બધાને ગમે તેટલા ખુશ રાખો, પરંતુ આપણને એ ખરા સમયે કામ લાગતા નથી. આપણી ખુશીનો વિચાર કરતા નથી.” ત્યારે એ નિરાશ થઈ જાય છે. કાં તો સંબંધો બગાડે છે, કાં સંબંધો તોડી નાંખે છે. - જ્ઞાની પુરુષો એટલા માટે જ કહે છે કે આ દુનિયાને કોઈ ખુશ કરી શક્યું નથી કે કોઈ કરી શકવાનું નથી. તમે તમારા આત્માને ખુશ કરો ! આ દુનિયાને ખુશ કરવાની હાય-હાયમાં આત્મા જ ભુલાઈ ગયો છે ! તમે તમારી જાતનું જ વિસ્મરણ કરી રહ્યા છો. યાદ રાખો કે આત્મા જ સર્વસ્વ છે. આત્માને છોડીને બધું જ મિથ્યા છે. મિથ્યા સંબંધોને મીઠા કરવાના પ્રયત્નો છેવટે નિષ્ફળ જ નીવડે છે. એ કડવા ને કડવા જ રહે છે.
રાજા પ્રદેશીએ પોતાની રાણી સૂર્યકાન્તાને ખુશ કરવા શું નહતું કર્યું ? જરૂર પડે પ્રાણ પાથરી દીધા હતા ને? એ સૂર્યકાન્તાએ પોતાના પતિને ઝેર આપીને મારી નાંખ્યો હતો !
૧૩૮ • સંવાદ