________________
સાચા
ઋષિ-મુનિઓએ કરેલી નિ:સ્વાર્થભાવની આ વાત છે. આ વાત દુનિયાને છેતરવા માટે નથી કરી ! એ શા માટે છેતરે ? એમને દુનિયા પાસેથી કંઈ લેવું તો હતું જ નહીં, આપવું હતું ! જ્ઞાનનો પ્રકાશ આપવો હતો. ‘ભાઈ, તારે આ દુનિયામાં યશ જોઈએ છે ? મળશે. તું સદાચારોનું પાલન કર. તને યશ મળશે જ. તારામાં ક્ષમા છે, શાન્તિ છે, સંતોષ છે અને પ્રિય વાણી છે. તો તું યશસ્વી બનીશ જ. વિશેષમાં ત્રણ નવા સદાચારોનું પાલન કરજે. # ઉદારતા. ઉર ગંભીરતા જે સહનશીલતા.
તારી ઉદારતાના શણગાર બનશે તારી મીઠી વાણી, તારી ગંભીરતા અને તારો ક્ષમાભાવ. દુનિયા તને ખૂબ પ્રેમ આપશે, માન આપશે. તારા ગુણ ગાશે. એ વખતે તું વિનમ્ર હોઈશ. તને જરાય અભિમાનનો સ્પર્શ નહીં થાય ! તારી પ્રસિદ્ધિ બીજા લોકો કરશે. તારે તારા ગુણો ગાવા નહીં પડે, તારે સ્વયં તારો ઉત્કર્ષ કરવો નહીં પડે. સદાચારોનો પ્રભાવ જેમ જેમ વિસ્તરતો જશે તેમ તેમ સદાચારીઓનું એક વર્તુળ મોટું થતું જશે. સદાચારોનું સમાજમાં મૂલ્યાંકન થવા માંડશે. સદાચારીઓની ખૂબ ખૂબ પ્રશંસા થવી જોઈએ.
સદાચારી સારો માનવી બને. સદાચારી દેવગતિ પામે. સદાચારી મોક્ષગામી બને.
અક્ષય ભંડાર કયો? પરમ વશ કયો ? સદાચાર ૦ ૧૩૩