________________
आचारवन्तो मनुजा लभन्ते आयुश्च वित्तं च सुतान् च सौख्यम् । धर्म तथा शाश्वतमीशलोक मत्रापि विद्वज्जनपूज्यता च ।।
સદાચારી પુરુષ આયુષ્ય, ધન, પુત્ર, સુખ, ધર્મ, દેવલોક અને અહીં વિદ્વાનોને પૂજ્ય બને છે.'
એવા કેટલાક સદાચાર ઋષિ-મુનિઓએ બતાવેલા છેअनसूया क्षमा शान्ति संतोषः प्रियवादिता । कामक्रोधपरित्यागः शिष्टाचार निदर्शनम् ।।
ઇર્ષાનો અભાવ, ક્ષમા, શાન્તિ, સંતોષ, પ્રિય વાણી તથા કામ-ક્રોધનો ત્યાગ – આ શ્રેષ્ઠ સદાચારો છે.
આવી રીતે – ઉ દીન દુખીના ઉદ્ધારમાં રસ લેવો. ઉ નિંદિત કાર્યોથી દૂર રહેવું. 9 ઉપકારીના ઉપકારોને યાદ રાખવા. વૃષ્ટિ નિંદા ન કરવી.
સજ્જનોની પ્રશંસા કરવી. દિ આપત્તિમાં દીન ન બનવું.
સંપત્તિમાં નમ્ર રહેવું. મિ પરસ્ત્રીનો ત્યાગ ને સ્વસ્ત્રીમાં સંતોષ રાખવો. હિંસા ના કરવી. ચોરી ના કરવી.
આ બધા સારા આચાર છે. તમને ગમે છે ને ? પણ તમે આમાંથી ઘણા સદાચારો પાળી શકતા નથી ! સદાચારોનું ઉલ્લંઘન કરનાર મનુષ્ય પોતાનું અહિત જ કરે છે. પરંતુ દુરાચાર જેને ગમી ગયા હોય છે તેમને સદાચારોના પાલનમાં અહિત દેખાય છે !
૧૩૦ ૦ સંવાદ