________________
જી ૩૩. રક્ષાબંડાર કરવો ?
પરમ રાશા કયો ?
શિષ્ય : ‘ગુરુદેવ, અક્ષયભંડાર કર્યો અને પરમ યશ શાથી મળે ?” ગુરુઃ “વત્સ, અક્ષયભંડાર છે સદાચાર. યશ મળે સદાચારથી.'
મહાનુભાવો, ભંડોરો તો ઘણા છે. સોનાનો ભંડાર, રત્નોનો ભંડાર, હીરાના નિધિ, ધાન્યના ભંડાર, ધાતુઓનાં ગોડાઉનો ! પરંતુ આ બધા જ ભંડાર ક્ષણિક ને નાશવંત હોય છે. એ ભંડારો ભરવાનો પુરુષાર્થ છેવટે તો વ્યર્થ જ જવાનો ! કારણ કે
- ભંડાર અહીં રહી જશે, તમે પરલોકમાં ચાલ્યા જશો ! - ભંડાર લૂંટાઈ જશે તમે રસ્તા પર રઝળતા થઈ જશો !
આ નિયતિ જ છે. માટે આ ભંડારો ભરવાનો પુરુષાર્થ બંધ કરો . અને એવો ભંડાર ભરવાનો પુરુષાર્થ શરૂ કરો કે જે ભંડાર, જે નિધિ તમારી સાથે પરલોકમાં આવે !
પણ તમારે આત્મસાક્ષીએ દઢ નિર્ણય કરવો પડશે કે મારે હવે પરલોકમાં પણ સાથે આવે તેવો અક્ષયભંડાર જ ભેગો કરવો છે. તે ભંડાર સદાચારોનો ભરવાનો છે. સદાચારનાં ગુણગાન ખૂબ ગવાયેલા છે.
“आचारः परमो धर्मः आचारः परमो तपः । आचारः परमं ज्ञानं आचारात् किं न साध्यते ?"
આચાર પરમધર્મ છે. આચાર પરમતપ છે. આચાર જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. આચારથી શું સિદ્ધ ન થઈ શકે ? અર્થાતુ બધી જ સિદ્ધિ મળે.”
આવા સદાચારી મનુષ્યો શું પ્રાપ્ત કરે છે ?
અક્ષયભંડાર કયા? પરમ યશ ક્યો? સદાચાર • ૧૨૯