SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પરાશ્રિત માણસોને જો એ આશ્રયસ્થાનમાં ફાવી ગયું હોય છે તો તેમને દુ:ખ નથી લાગતું તY પાંજરાના પંખીને પીંજરું જ વહાલું લાગે છે અને એ બંધન ગમે છે... મુક્તિ નથી ગમતી. બંધનમાં સુખ લાગે છે. એ સુખ છોડવા રાજી થતા નથી ! હા, જેની પાસે ધન નથી તે પોતાને દુ:ખી માને છે, જેની પાસે સારું નીરોગી શરીર નથી તે પોતાને દુ:ખી માને છે. જેમની પાસે રહેવા સારું ઘર નથી, તે દુ:ખ સમજે છે. જેમને પહેરવા પૂરતાં કપડાં નથી તેનું એ દુ:ખ માને છે. લોકો એર્ના તિરસ્કાર કરે છે તો દુ:ખ માને છે. સત્તા જોઈએ છે છતાં નથી મળતી તો એ દુ:ખ માને છે ! પણ આ બધાં દુઃખો દૂર કરવા “પુણ્યકર્મ'નો સાથ જોઈએ. સાથે સાથે પુણ્યપુરુષોનો સમાગમ જોઈએ. અને માણસ આ દિશામાં પ્રયત્નશીલ રહે પણ છે. પરંતુ ઇર્ષ્યા કરીને દુઃખી થાઉં છું. માટે મારે કોઈની ઇર્ષ્યા નથી કરવી.' આ સંકલ્પ કરશો ? ઘરમાં કોઈ ભાઈ-બહેનની ઇર્ષા ન કરો. સ્વજનોમાં સુખી સગાઓની ઇર્ષ્યા ન કરો. મિત્રોની ઇર્ષા ન કરો. ભાઈ-બહેનો-સ્વજનો-મિત્રો વગેરેનાં સુખ, યશ, ધન, કીર્તિ જોઈને ઇર્ષા કરશો તો દુઃખી થશો. રાજી થશો તો સુખી થશો ! બીજાનાં સુખ જોઈને રાજી થનાર મનુષ્ય પુણ્યકર્મ બાંધે છે ! બીજી વાત છે નફરત કરવાની. નફરત કરનારનું મન ઉદ્વિગ્ન બને છે. બેચેન બને છે ને તે નફરત કરીને નવા શત્રુ ઊભા કરે છે. “મારે કોઈનીય નફરત નથી કરવી. કોઈને ધિક્કારવા નથી. સહુ સાથે પ્રેમથી, સ્નેહથી વ્યવહાર કરવો છે.' આ નિર્ણય હશે તો જ દુ:ખથી બચી શકવાના, નફરત કરનાર અભિમાની ને અહંકારી હોય છે. એ ઘરમાં ને સોસાયટીમાં અપ્રિય બને છે. ૧૨૧ ૧૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy