SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ P. . દુ:ખી કોણ? છે ઉપરા શિષ્યઃ ‘ગુરુદેવ, ખરેખર દુઃખી કોણ છે?” ગુરુ “વત્સ, ૧. ઇર્ષા કરનાર, ૨. નફરત કરનાર, ૩. શંકા કરનાર, ૪. ક્રોધ ધરનાર, ૫. અસંતુષ્ટ અને ઉ. પરાશ્રિત દુઃખી હોય છે.' આ સંસારની વિચિત્રતા જુઓ ! દુ:ખી થવાનાં કારણો જે સાચાં છે તે કારણોને અજ્ઞાની મનુષ્ય સમજતો નથી અને જે ખરેખર દુઃખનાં કારણો નથી, તેને દુ:ખ માને છે. ‘ઇર્ષ્યા કરનાર સ્ત્રી કે પુરુષને કહેવામાં આવે કે ઇર્ષ્યા કરીને તું દુઃખી થાય છે. માટે ઇર્ષ્યા ન કર.” શું આ વાત એના મનમાં ઊતરે ? બીજાઓ તરફ નફરત કરનાર વ્યક્તિને કહેવામાં આવે કે “તું આ નફરત-ધિક્કાર વરસાવીને દુઃખી થાય છે. માટે નફરત ન કર.' શું આ ઉપદેશ તેના ગળે ઊતરવાનો ? શંકાશીલ સ્વભાવવાળાને કહેવામાં આવે કે “તું દરેક વાતમાં શંકા કરીને દુ:ખી શા માટે થાય છે ?” તો શું એ આ વાત સ્વીકારશે ? ક્રોધ કરનારને કહેવામાં આવે કે તું ક્રોધ કરીને સ્વયં દુઃખી થાય છે, બીજો તો પછી દુ:ખી થશે. માટે ક્રોધ ન કર.” શું આ સત્યનો એ આદર કરશે ? કોઈ વાતમાં સંતોષ નહીં માનનાર માણસ કેવો દુઃખી હોય છે ? તેવા માણસો મેં જોયા છે. તેમને સમજાવું છું કે અસંતોષથી તમે દુ:ખી થાઓ છો માટે તમે સંતુષ્ટ બનો પણ ના, તેઓ અસંતોષની આગમાં બળતા રહે છે ! દુઃખી કોણ? છ જણા ૦ ૧૨૫
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy