________________
મનુષ્ય નથી. હું ગુરુ નથી, હું શિષ્ય નથી. હું શરીર નથી. હું સત્તાધીશ નથી. હું વકીલ નથી, હું ડૉક્ટર નથી...! હું કોણ ? હું શુદ્ધ આત્મદ્રવ્ય છું !'
ધન મારું નથી. રૂપ મારું નથી, માતા મારી નથી, સત્તા મારી નથી, પત્ની મારી નથી, સ્વજનો મારા નથી, શરીર મારું નથી... તો મારું શું છે ? શુદ્ધ જ્ઞાન-કેવળજ્ઞાન મારું છે.’
મહ
રાગ-દ્વેષ
આ ભાવનાઓનું શીતલ પાણી મોહાગ્નિને ઠારી શકે. જેમ જેમ આત્મતત્ત્વ પર પ્રીતિ બંધાતી જશે તેમે તેમ પુદ્ગલપ્રીતિ તૂટતી જશે. શુદ્ધ આત્મદ્રવ્ય પર પ્રીતિ કરવાની છે. એટલે સર્વપ્રથમ તો આપણા પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય ૫૨ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
રાગ-દ્વેષ અને મોહની પ્રચંડ આગને બૂઝવવાના બંને ઉપાયો અજમાવાના છે. ‘નાગદમ્' ‘ના મમ્'ના મંત્રના પાણીનો બંબાં છોડતા રહેવાનું ! ‘હું નથી - મારું કંઈ નથી !' બીજી બાજુ ‘હું શુદ્ધ દ્રવ્ય છું ને શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે,’ આ ભાવનાનું અમૃતપાન કરી ભીતરની આગ, ભીતરની બળતરા ઠારી દેવાની.
યાદ રાખો - રાગની આગ દઝાડી રહી છે.
દ્વેષની આગ પ્રજાળી રહી છે.
મોહની આગ બધું ભસ્મીભૂત કરી રહી છે. સાવધાન બનો
૧૨૪ ૦ સંવાદ