________________
11. ગણ
રજૂ કરવા ? રાગ-દ્વેષ-મોહ
શિષ્ય : “ગુરુદેવ, ત્રણ અગ્નિ કયા કયા છે ?” ગુરુ : “વત્સ, રાગ અગ્નિ છે. દ્વેષ અગ્નિ છે, મોહ અગ્નિ છે.”
આજે તમને ત્રણ જાતના અગ્નિ બતાવવાના છે. તે સામાન્ય કોલસાના કે લાકડાના અગ્નિ જેવા નથી ! એ ભયંકર અગ્નિ છે. એ લાવારસ છે. આ ભીતરની પ્રચંડ આગ હોય છે.
પહેલાં ઓળખી લો આ રાગ, દ્વેષ અને મોહને. રાગ = માયા અને લોભ. [મમકાર]. વૈષ = ક્રોધ અને માન. [અહંકાર મોહ = “હું અને મારું' હવે આપણે એક-એકને સમજીએ.
માયા અને લોભનું મૂળ છે મમકાર, અને ક્રોધ-માનનું મૂળ છે. અહંકાર. આ મમત્વ અને અહત્વનાં મૂળ આત્મભૂમિમાં ઊંડાણમાં પથરાયેલાં છે. વડના વૃક્ષનાં મૂળ જાયાં છે ? કેટલાં ઊંડાં અને કેટલાં ભૂમિમાં પથરાયેલાં હોય છે ? એના કરતાંય વધુ ઊંડાં અને વ્યાપક આ મમત્વનાં અને અહંત્વનાં મૂળ આત્મભૂમિમાં રહેલાં છે. - રાગની ભીષણ આગ જોવી હોય તો માયાવી ને લોભી માણસોમાં જોવા મળશે ! તેઓ હમેશાં ભીતરમાં બળતા જ રહે છે. દાઝતા જ રહે છે. તેમની લોભદશા, તીવ્ર તૃષ્ણાઓ પ્રબળ આકાંક્ષાઓ તેમને ઉકાળેલા જ રાખે છે. વર્તમાનમાં જો તમારે સહુથી પ્રબળ રાગની આગ જોવી હોય
ત્રણ અગ્નિ કયા? રાગ-દ્વેષ-મોહ ૦ ૧૨૧