________________
જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરવાનું વિસરાઈ જાય છે. અરે, વ્યવહારમાં જરૂરી એવા નીતિ-સદાચારઉદારતા વગેરે ગુણો પણ લુપ્ત થઈ જાય છે. વળી, એક તૃષ્ણા પૂર્ણ થાય છે કે બીજી અનેક સ્પૃહાઓ જાગી જાય છે. અને એ પૂર્ણ કરવા જતાં પૂર્વપ્રાપ્ત સુખનો ઉપભોગ - પણ થઈ શકતો નથી. આમ નિરંતર સ્પૃહા-તૃષ્ણાઓ જાગ્યા કરે અને જીવ એને પૂર્ણ કરવાની વેઠ કર્યા કરે ! ન શાન્તિ, ન પ્રસન્નતા, અને ન આત્મગુણોનો આવિર્ભાવ.
આ ૧૦ પ્રકારની જ્ઞાનદૃષ્ટિ તમને આપી. યાદ રાખશો. આ જ્ઞાનદૃષ્ટિરૂપી દાતરડાથી સ્પૃહા-તૃષ્ણારૂપી વિષવેલાડીઓને કાપી નાંખવાની છે. તમારી વિદ્વત્તા, આરાધકતા, સાધકતા આ વાત પર નિર્ભર છે કે તમે આ બધી અનાત્મરતિ સમેત સ્પૃહાઓને મન-ઘરમાંથી બહાર હાંકી કાઢો છો કે નહીં! જો હાંકી કાઢશો તો સુખી જ નહીં, પરમ સુખી બનશો.
૧૨૦ ૦ સંવાદ