SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ( 2 30. સુખી કોણ ? સુપ્રણારર્દત શિષ્ય : ‘ગુરુદેવ, સાચો સુખી કોણ ?' ગુરુઃ “વત્સ, જેનામાં તૃષ્ણાઓ, સ્પૃહાઓ ન હોય તે સુખી.” પ્રિય આત્મન ! તૃષ્ણાઓની ભડભડતી આગમાં તેં કેવી કારમી બળતરાઓ અનુભવી છે ? અનંત અનંત જન્મોથી સ્પૃહાઓનાં ઝેર પીધે રાખ્યાં છે. હજુ શું તારે એ ઝેર પીવાં છે ? ના, ના, હવે તો તૃષ્ણાઓનો ત્યાગ કર. નિસ્પૃહ બની જા. તે નહીં કલ્પલાં સુખ તને આવી મળશે. તે નહિ અનુભવેલો દિવ્ય આનંદ તે અનુભવીશ. હે આત્મનું, તારે શું પ્રાપ્ત કરવું છે? શાનાં અરમાન કરી કરીને તું દોડી રહ્યો છે ? શાની ઝંખનાઓ નિરંતર તારા અંત:કરણને કોરી રહી છે ? શું તારે સોનું-રૂપુ અને રત્નોના ઢગલા જોઈએ છે ? શું તારે ગગનચુંબી મહેલાતો જોઈએ છે ? શું તારે રૂપસુંદરીઓના વૃદમાં મહાલવું છે ? શું તારે યશકીર્તિના સર્વોચ્ચ શિખરો હાંસલ કરવાં છે ? ભલા થઈને છોડી દો આ બધા કોડ. આ બધા કોડ કરવામાં મજા નથી, શાન્તિ નથી, સ્વસ્થતા નથી. હવે તો એવું પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર કે એકવાર પ્રાપ્ત કર્યા પછી જાય જ નહીં! જે અવિનાશી છે, જે અક્ષય છે, જે અચલ છે એ પ્રાપ્ત કરી લેવાનું છે. એ છે સ્વભાવ. આત્માનો સ્વભાવ. તું દઢ નિશ્ચય કરી લે કે “મારે આત્મસ્વભાવની પ્રાપ્તિ કરવી છે. એ સિવાય મારે કંઈ જોઈતું નથી. વિશ્વસામ્રાજ્યનું ઐશ્વર્ય પણ મારે જોઈતું નથી. મારે આત્મસ્વભાવનું ઐશ્વર્ય જોઈએ છે.” આ દઢ નિશ્ચય પર તમે તૃષણારહિત બની શકો. નિઃસ્પૃહ બની શકો. નિઃસ્પૃહતાની શક્તિથી સાધક વિશ્વવિજેતા સુખી કોણ? તૃષ્ણારહિત • ૧૧૭
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy