________________
બને છે. વિશ્વનું કોઇ સૌન્દર્ય અને આકર્ષી શકતું નથી. લોભાવી શકતું નથી, એની તો એક જ રટણા હોય છે - “મારે બીજું કંઈ જોઈતું નથી. મારું તો આત્મસ્વભાવ જોઈએ.”
તૃષ્ણારહિત
મહામુનિ વજ્રસ્વામીના ચરણોમાં શ્રેષ્ઠિ ધનાવહે કરોડો સોનૈયાની થેલીઓ ઠલવી દીધી હતી. રૂપરંભા રુક્મિણીએ પોતાનું રૂપયૌવન તેમના ચરણે સમર્પણ કરી દીધું હતું. પરંતુ મહામુનિ તો આત્મસ્વભાવના આકાંક્ષી હતા. એમને ન હતી સૌનૈયાની સ્પૃહા કે ન હતી રૂપૌવનની કામના. મહામુનિએ આત્મસ્વભાવનું એવું ઐશ્વર્ય રુક્મિણીને બતાવી દીધું કે રુક્મિણી સંસારના ઐશ્વર્યની સ્પૃહાથી અલિપ્ત બની અને આત્મસ્વભાવના ઐશ્વર્યને પ્રાપ્ત કરવા પુરુષાર્થશીલ બની.
તૃષ્ણારહિત, પૃહારહિત મનુષ્ય જ સુખી મનુષ્ય છે. આવા ઉત્તમ પુરુષને સોનાના ઢગલા માટીના ઢેર દેખાય. સુંદરીઓના સમૂહ હાડકાં અને માંસના પિંડ દેખાય. જગતને તૃણવત્ ગણી જગતથી નિ:સ્પૃહ રહેનાર યોગી પરમબ્રહ્મનો આનંદ અનુભવે છે. આવી તૃષ્ણારહિતતા સુધી પહોંચવા માટે કેટલાક ઉપાયો બતાવું છું. જીવનમાં પ્રયોગ કરી શકો.
૧. વિચારો - ‘મારી પાસે બધું જ છે. મારો આત્મા સુખથી પરિપૂર્ણ છે. મારે કોઈ વાતની કમી નથી. જેવું સર્વોત્તમ સુખ મારા આત્મામાં છે, દુનિયામાં તેવું સુખ ક્યાંય નથી. તો પછી એની તૃષ્ણા શા માટે કરું ?’ આ ભાવનાથી પ્રતિદિન આત્માને ભાવિત કરતા રહો.
૨. ‘જે પદાર્થની સ્પૃહા કરું છું, મન તેની પાછળ ભટકે છે. પરમાત્મધ્યાનમાં કે શાસ્ત્રસ્વાધ્યાયમાં મન વિક્ષિપ્ત રહે છે. તે પદાર્થ મળવો તો પુણ્યાધીન છે. પુણ્યોદય ન હોય તો ન મળે, પરંતુ એની પાછળ તૃષ્ણાસ્પૃહા કરવાથી મનમલિન બને છે. પાપકર્મ બંધાય છે. માટે એવી પ૨૫દાર્થોની સ્પૃહા મારે નથી કરવી.' આવા વિચારથી મનનું વલણ ફે૨વવું જોઈએ.
૩. ‘જો હું ૫૨૫દાર્થોની સ્પૃહા-તૃષ્ણા કરીશ તો જેની પાસે એ પદાર્થો હશે તેની મારે ગુલામી-ચાપલૂસી કરવી પડશે. એની આગળ
૧૧૮ ૦ સંવાદ