SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તોડતા જશો તેમ નંમ તમને જ્ઞાન-ધન મળતું જશે. તમે અપૂર્વ બાનિ અનુભવતા થશો. આ પુરુષાર્થ તમારે સતત જાગૃતિ સાથે કરવો પડશે. કારણ કે એક એક ઇન્દ્રિય ભયાનક સિંહ છે. એક P) એક ઇન્દ્રિય કુટિલ નિશાચર છે. તમારા આત્માના આંગણે ઝૂલતા વિવેક-હાથીનો શિકાર કરી જવા એ પ્રચંડ પાંચ સિંહ આત્મમહેલની આસપાસ આંટા મારી રહ્યા છે. તમારા આત્મમહેલમાં ભરચક ભરેલું સમાધિ-ધન, ધ્યાન-ધન ઉપાડી જવા એ ઇન્દ્રિયનિશાચરો છીદ્રો શોધી રહ્યા છે. માટે તમારે જો જિતેન્દ્રિય પુરુષ બનવું છે તો ધીર પુરુષોમાં પણ ધીર બનવું પડશે. વીરપુરુષોમાં વીર બનવું પડશે. ભયંકર ગર્જના કરતા મોતના કરાળ મુખ જેવા કેસરીને સામે આવતો જોઈને પણ તમારું રૂંવાડુંય ન ફરકવું જોઈએ. આવી ધીરતા જોઈએ. કાળમુખ કેસરી પણ તમારા મુખમંડળ પર વીરતા જોઈને બીજો રસ્તો પકડી લે એવી વીરતા જોઈએ. આવી વીરતા અને ધીરતાથી જ ઇન્દ્રિયો પર વિજય મેળવી જિતેન્દ્રિય પુરુષ બનવાનું છે ! ૧૧૬ ૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy