SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ “જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષની પ્રાપ્તિ ઝંખે છે તો ઇન્દ્રિયો પર વિજય મેળવવા ડ ધરખમ પુરુષાર્થ કર. દેદીપ્યમાન પરાક્રમને ફોરવ.' સંસારમુક્તિ અને મોક્ષપ્રાપ્તિ માટે ઇન્દ્રિયવિજયનો પુરુષાર્થ અનિવાર્ય છે. તમે તમારી પાંચ ઇન્દ્રિયો પર વિજયી બન. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવિષયક ઇચ્છાઓ પર નિયંત્રણ મૂકી અમર્યાદ ઇચ્છાઓનો નિગ્રહ કરો. શબ્દ વગેરે વિષયોની કોઈ ઇચ્છા જાગે તેને પૂર્ણ ન કરો. પૂર્ણ કરવાનો વિચાર પણ ન કરો. પરંતુ તે ઇચ્છાને નહી પૂરવાનો સંકલ્પ કરો. ઇચ્છાને પૂર્ણ ન કરતાં જો કોઈ દુ:ખ આવે તો તેને હસતા મુખે સહન કરો. દુ:ખને સહન કરવાની શક્તિ વિકસાવો. શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખો ભોગવવાની અને એ દ્વારા આનંદ-પ્રમોદ મેળવવાની અનંતકાળ જૂની આદત છોડવાનું ચોક્કસ પ્રકારનું લક્ષ્ય બનાવો. કારણ કે જીવાત્મા જેમ જેમ ઇન્દ્રિયાને મનગમતા વિષયો આપી આપીને પોપે છે તેમ તેમ આત્મામાં દુષ્ટ મલિન વિકારો પુષ્ટ થતા જાય છે. જેમ જેમ વિકારો પુષ્ટ થતા જાય છે તેમ તમ જીવ પર માહની પકડ દઢ થતી જાય છે. તેના મન-વચન અને કાયા વિવેકભ્રષ્ટ બનતાં જાય છે. તે અનેક પ્રકારનાં દુ:ખ અને અશાન્તિનો ભોગ બની જાય છે. એ દુ:ખઅશાન્તિ દૂર કરવા પુન:ઇન્દ્રિયોને વિષયો પૂરા પાડવાની ચેષ્ટા કરે છે. દુ:ખ-અશાન્તિ ઘટવાને બદલ ખૂબ ખૂબ વધી જાય છે. અંત દારુણ દુ:ખ અને ઘોર અશાન્તિના પ્રહારો સહી ન શકતાં મોતના મુખમાં જઈ પડે છે. નરકાદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે. ઇન્દ્રિયો ક્યારેય તૃપ્ત થતી નથી. ઇન્દ્રિયન સ્વભાવ જ નથી ધરાવાનો. ઇન્દ્રિયોનું ઉદર સાગર જેવું અતલ ઊંડાણવાળું છે. અનંતકાળથી જીવાત્મા પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા પદુગલિક વિયા આપતો આવ્યો છે. છતાં ક્યારેય ઇન્દ્રિયોએ ઈન્કાર નથી કર્યો. ઇન્દ્રિયોને સ્વભાવ છે કે એને અનુકૂળ વિષય જેમ જેમ પ્રાપ્ત થતા જાય છે તેમ તેમ એ અનુકુળ ) ૧૧૮ • સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy