________________
ર. પુરુષ કોણ ?
શિષ્ય : ‘ગુરુદેવ, પુરુષ કોને કહેવાય ?'
ગુરુ : ‘વત્સ, જિતેન્દ્રિયને પુરુષ કહેવાય.'
એક આર્ષવાણી છે :
ત્તેન્દ્રિય
'सद्धर्मे पौरूषं कुर्यात् नालसो न च दैववान् ।।'
‘હે મનુષ્ય ! તું સદ્ધર્મમાં પુરુષાર્થ કર. આળસ ન કર કે ભાગ્યના ભરોસે બેસી ન રહે.'
જે પુરુષાર્થ કરે તે પુરુષ કહેવાય. જેનામાં પુરુષાર્થ નથી તે જીવતો હોવા છતાં મરેલો છે ! ‘નીવસ્તૃતઃ સ્તુ નિરુદ્યમો ચ:' જો તમે તમારી જાતને ‘પુરુષ’ માનો છો તો તમારે પુરુષાર્થ કરવો જ રહ્યો. ઉચ્ચ કે નીચ કુળમાં જન્મ થવો એ ભાગ્યને આધીન હોય છે, પણ પુરુષાર્થ તો તમારે આધીન છે ! અને લક્ષ્મી પુરુષાર્થશીલ પુરુષસિંહને જ વરે છે. કાયર માણસ બોલે છે કે ભાગ્યમાં હશે તે મળશે....
'उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी दैवेन देयमिति कापुरूषा वदन्ति ।'
ખરે, આજે આપણે લક્ષ્મીના પુરુષાર્થની વાત નથી કરવી કે કોઈ ભૌતિક સુખસાધનો મેળવવાના પુરુષાર્થની પણ વાત નથી ક૨વી. આજે તો વાત કરવી છે ઇન્દ્રિયો પર વિજય મેળવવાના પુરુષાર્થની !
‘જ્ઞાનસાર’માં ભારપૂર્વક આ પુરુષાર્થ કરવાનું કહેવામાં આવ્યું છે. बिमेषि यदि संसारान्मोक्षप्राप्तिं च कांक्षसि ।
तदेन्द्रिय जयं कर्तुं स्फरय स्फारपौरूषम् ।।
પુરુષ કોણ ? જિતેન્દ્રિય ૦ ૧૧૩