________________
) ગુંડાની ટોળીમાં ભળવું પડ્યું. મારી આખી દુનિયા
YES અંધારી આલમ બની ગઈ. હિંસા, ચોરી, જુગાર, ' શરાબ, વેશ્યા...
મારા પિતાજીને મારી આ જિંદગીની જાણ થઈ તો તે જે આઘાતથી મરી ગયા. મારી મા અને બહેન મને સમજાવતાં રહ્યાં. પણ આ અંધારી આલમમાંથી હું બહાર ન નીકળી શક્યા. પાપમાં વધુ ખરડાતો અને ખુંપતા ગયાં. મારી માતાને જેટલા રૂપિયા જોઈએ તેટલા આપતો રહ્યો. બિચારી માને મારાં દુષ્કૃત્યોની ખાસ ખબર ન હતી. તેને ખબર ન હતી કે તેનો દીકરો ખૂની-હત્યારો છે. તેને ખબર ન હતી કે તેનો દીકરો વેશ્યાગામી બન્યો છે. તેને ખબર ન હતી કે તેનો પુત્ર શરાબી અને ગુંડો છે. મેં તેને કહેલું કે હું દાણચોરીના ધંધામાં છું. આથી ઝાઝો સમય મારે ઘરની બહાર રહેવું પડે છે. પોલીસથી દૂર રહેવું પડે છે. હું નહોતો ઇચ્છતો કે મારી મા અને બહેનને મારા પાપોની જાણ થાય, કારણ કે તે બંને પ્રત્યે મને અનહદ પ્રેમ અને મમતા હતાં.
એ યુવકને મેં પૂછ્યું: ‘તારા દિલમાં મા અને બહેન પ્રત્યે પ્રેમ અને મમતા હતી તો તારે આ પાપાંનો ત્યાગ કરવો જોઈતો હતો ને ? મા અને બહેનને દુ:ખ થાય એવું તો તારે ન કરવું જોઈએ ને ?”
યુવકે કહ્યું: “આપનું કહેવું સારું છે. મારી લાચારી હતી. હું જ એ બદમાશની ટોળી છોડી જઉં તો મારે જેલમાં જવું પડે અથવા જિંદગીથી હાથ ધોવા પડે, કારણ કે હું ગુનેગાર હતો. મેં ખૂન કરેલું હતું. મારા સાથીઓ મને પોલીસને હવાલે કરી દે અથવા મારી હત્યા કરી નાંખે.
પરંતુ એક દિવસ એવો આવ્યો કે મારે એ ટોળીના માણસો સાથે મુકાબલો કરવો પડ્યો. કારણ એવું બન્યું કે એ ટોળીના બે માણસોએ મારી ગેરહાજરીમાં મારી બહેન સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. મેં બંનેને ઉપર મોકલી દીધા અને ટોળીના સરદારને કહ્યું : હવે હું જાતે પોલીસ પાસે જાઉં છું. અને મારા ગુનાનો એકરાર કરીશ.”
આંધળો કોણ ? અકાર્ય કરનાર ૦ ૧૧૧