________________
આર્તનાદ +
ઉત્પન્ન થાય છે. વિષયવાસના પણ આ કર્મના ઉદયનું YN ફળ છે. રડવું ને હસવું, રાજી થવું ને નારાજ થવું, V રાગ કરવો ને ઇર્ષા કરવી વગેરે દ્રો આ જ કર્મની
પ્રેરણા અને પદાશ છે. એવા મોહમૂઢ જીવો ભાવદુ:ખી છે. એ બધાં જ દુ:ખો માનસિક હોય છે. મનના ભાવોથી સંબંધિત હોય છે.
આ બંને પ્રકારના દુ:ખી જીવોનાં દુ:ખ જો આપણે ન સાંભળીએ, એમની ઉપેક્ષા કરીએ તો આપણે “બહેરા' કહેવાઈએ, ક્રૂર કહેવાઈએ. આવા જીવો પ્રત્યે આપણા હૃદયમાં કરુણા હોવી જ જોઈએ. નહીંતર એક જીવ દુ:ખ ભોગવી રહ્યો છે ને બીજો જીવ (આપણે) દુઃખમય ભવિષ્ય ઘડી રહ્યા છીએ ! સભામાંથી : દ્રવ્યદુ:ખી પ્રત્યે તો કરુણા આવે છે, પરંતુ પાપી પ્રત્યે
કરુણા નથી આવતી ! ઉત્તરઃ સાચી વાત છે તમારી પાપી પ્રત્યે તમને કરુણા ક્યાંથી થાય? ન જ થાય ! કારણ કે તમે બધા તો નિષ્પાપ છો ! નિષ્પાપીને પાપી પ્રત્યે કંઈ કરુણા થતી હશે ? ના, નિષ્પાપીને તો પાપી પ્રત્યે ક્રૂરતાના જ ભાવ જાગે !! અફસોસ! કેવી ગાંડી અને અક્કલ વગરની વાત કરો છો ? દ્રવ્યદુ:ખી પ્રત્યે તો કરુણા આવે છે પરંતુ પાપી પ્રત્યે કરુણા નથી આવતી !” - હૈયે હાથ મૂકીને કહો, તમારા જીવનમાં શું કોઈ જ પાપ નથી ? કોઈ જ પાપ નથી કર્યું તમે જીવનમાં ? સાવ નિષ્પાપ છે તમારું જીવન ? નથી જ. એકથી વધુ પાપોથી તમારુ જીવન ખરડાયેલું છે. કોઈ ને કોઈ નાનાં-મોટાં પાપોથી તમારું હૈયું ગંધાય છે. તો પછી બીજા પાપી જીવો પ્રત્યે તમને ધિક્કાર કરવાનો કયો અધિકાર છે ? એક ભિખારી બીજા ભિખારીને કહે – “તને ભીખ માગતાં શરમ નથી આવતી ? મહેનત કર. ભીખ માગવી શોભતી નથી..!!”
આપણી વાત એ છે કે દુ:ખી જીવોનાં દુઃખ કરુણાભર્યા હેયે સાંભળવાનાં
બહેરો કોણ? જે આર્તનાદ સાંભળતાં નથી • ૧૦૭