SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સાભળનાર Fબાતેનદ ને જોતો નથી, સાંભળતો નથી, તેમના હય કોઈ દુ:ખ નથી થતું. તમારું હૈયુ સામાના દુઃખથી વલોવાતું ' નથી તો તમે દૂર છો. તમે બહેરા છો. તમે દુ:ખી S. જીવોનાં દુ:ખ સાંભળવા પણ રાજી નથી ને ? સંસારમાં બે પ્રકારના દુ:ખી જીવ હોય છે દ્રવ્યદુઃખી અને . ભાવદુ:ખી. જેની પાસે પુણ્યોદય નથી તે દ્રવ્યદુ:ખી છે, જેની પાસે મોહનીય કર્મનો ક્ષયોપશમ નથી તે ભાવદુઃખી છે. સમજો આ વાતને. બરાબર સમજી લો. પુણ્યકર્મના ૪૨ પ્રકાર છે. બધાં જ ભૌતિક સુખો આ ૪૨ પ્રકારના પુણ્યકર્મનું પ્રોડક્શન છે - ઉત્પાદન છે. તમે મનુષ્યગતિમાં છો, તમારી પાસે મનુષ્યગતિનું આયુષ્ય છે, તમે ઉચ્ચજાતિના કહેવાઓ છો. તમારું શરીર નીરોગી છે, તમારી પાંચેય ઇન્દ્રિયો પરિપૂર્ણ છે, તમે રૂપાળા છો, સુર તમારો મધુર છે, લોકપ્રિય છો તમે, તમારી વાત બીજા માની લે છે, તમારી નામના છે. વાહ વાહ અને બોલબોલા છે, તમારી પાસે પૈસા છે, પ્રતિષ્ઠા છે, પરિવાર અને અન્ય જનોને તમારા પર અનહદ પ્રેમ છે. આ બધું જ, કે આમાંથી તમારી પાસે જે કંઈ છે તે તમારા પુણ્યના ઉદયથી જ છે. જૈમને પુણ્યકર્મના ઉદય નથી તેમની પાસે આમાંનું કશું જ નથી હોતું. તેથી વિપરીત તેમને બેહિસાબ દુ:ખો હોય છે. દુઃખી હોય છે તેઓ. તમારે એમનાં દુ:ખ સાંભળવા જોઈએ. સાંભળીને યથાશક્તિ દુ:ખ દૂર કરવાં જોઈએ. અને જેને મોહનીયકર્મનો ક્ષયોપશમ નથી થયો હોતા તે ભાવદુ:ખી હોય છે. આ પાપકર્મના ઉદયથી માણસની મતિ કલુષિત બને છે. સુદેવ, સુગુરુ અને સધર્મ પ્રત્યે તેને શ્રદ્ધા નથી હોતી, એટલું જ નહીં આ મહનીય કર્મના પાપોદયથી માણસ કુદેવ, કુગુરુને, અસદુધર્મને માને છે, પૂજે છે ! આ જ પાપકર્મના ઉદયથી ક્રોધી, અભિમાની, માયાવી ને લોભી બને છે. આ જ પાપકર્મના ઉદયથી જીવાત્મામાં વિવિધ પ્રકારના વિકાર ૧૦૧ ૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy