________________
એક ધરના વડીલ સવારના પહોરમાં પહેલું છાપું વાંચીને, એમાં કોઈના ખૂનના કે અપહરણના.. કે આપઘાતના કિસ્સા છપાયા હોય તે મોટેથી બોલીને સંભળાવે ! દિવસનો પ્રારંભ જ અશુભ ને અમંગલથી કરે ! આ બધા બોલતા હોવા છતાં ‘મૂંગા’ કહેવાય !
જેમને પ્રિય બોલતાં નથી આવડતું,
ભાષી અપ્રિય
જેમને હિતકારી મધુર વચન બોલતાં નથી આવડતું, જેમને પ્રસંગને અનુરૂપ બોલતાં નથી આવડતું,
- તેઓ બોલતા હોવા છતાં મૂંગા છે ! જીભ હોવા છતાં મૂંગા છે. આવા મનુષ્યો અપ્રિય, અસત્ય અને અહિતકારી બોલીને પાપકર્મ તો બાંધે જ છે, પરંતુ ઘરમાં, સમાજમાં ને શહે૨માં શોભાસ્પદ નથી બનતા. હાંસીપાત્ર બને છે. બુદ્ધિમાનો અને જ્ઞાની પુરુષોના વર્તુળમાં તેમને પ્રવેશ નથી મળતો. હા, શ્રીમંત હોય તો ઘૂસણખોરી કરી જાય ! શ્રીમંત માણસનું અપ્રાસંગિક ભાષણ અમારે પણ ક્યારેક સાંભળવાનું આવે ! શું કરીએ ? મૌન ધારણ કરવું પડે. નહીંતર સંઘર્ષ થાય. મૂંગા માણસો પાછા ખતરનાક પણ હોય છે ! એમનાથી દૂર રહેવું !
૧૦૪ ૭૦ સવાદ