________________
) ૨૬. મૂંગો કોણ ?
પ્રટા ભાપી
શિષ્ય : “ગુરુદેવ, મૂંગો કોને કહેવાય?” ગુરુઃ “વત્સ, જે સમયે પ્રિય બોલવું જે નથી જાણતો છે.”
મહારાષ્ટ્રના એક ટોચના નેતા, ડૉ. દેવેન્દ્રકુમાર પંડ્યા પાસે આવેલા. ડૉ. પંડ્યા સારા જ્યોતિષી હતા. તેમણે એ યુવાન નેતાની મૃદુ ને પ્રિય વાણી તથા ઓછાબોલો સ્વભાવ જોઈને કહેલું: “આ માણસ પાસે બહુ લક્ષ્મી થશે. લક્ષ્મીનું આસન કમળ છે. જેની વાણી મૃદુ હોય તે બહુ લક્ષ્મીવાન હોય છે.' આ નેતા અત્યારે ભારતના સૌથી ધનિક રાજકરણી છે. કદાચ આના પરથી તમે અવલોકન કરશો કે વેપાર વ્યવસાય કે અંગત વ્યવહારમાં જે પ્રિય બોલે છે, મૃદુ વાણી બોલે છે તે સફળ થાય છે.
જ્યાં શાંત રહેવું જોઈએ કે ચૂપ રહેવું જોઈએ ત્યાં બોલબોલ કરીને મૂર્ખ મનુષ્ય બધો ખેલ બગાડી નાંખે છે. વધુ બોલીને કે કડવું બોલીને રાજપાટ પણ ગુમાવાયાં છે. અરે, પ્રાણ પણ ગુમાવાયા છે.
શેખ સાદીએ કહેલું કે મીઠી જબાન વાપરો. ‘પ્રેમ ઔર ખુશી સે તુ હાથી કો એક બાલ સે ખીંચ સકતા હૈ.” આપણે ઘણીવાર કડવું બોલીને લાભની બાજી નુકસાનમાં પલટાવી નાખીએ છીએ. તેથી જ ક્રોધી બ્રાહ્મણો ગરીબ રહે છે. ઓછું અને મીઠું બોલનારો માણસો-વણિકો ધનવાન હોય છે. કોઈપણ વાતનો રોકડો અને તીખો જવાબ આપવો એ નવી પેઢીના યુવાનોનો દુર્ગુણ છે. જે ઘરમાં બધા જ મોટા અને કર્કશ અવાજે બોલતા હોય તે ઘર અનેક રીતે દરિદ્ર હોવાનું !
ચૂપ રહેવાથી ઘણા ફાયદા થાય છે. માણસ ચૂપ રહે તો મૂરખ
મંગો કોણ ? અપ્રિય ભાષી ૦ ૧૦૧