________________
I/Aવિશ્વાસ
“જે મનુષ્ય પર મન કરે છે અથવા ચિત્ત - પ્રસન્ન થાય છે, પહેલાં એને ન પણ જોયો હોય, છતાં વિશ્વાસ કરી લેવાય છે !” પરંતુ એક અજ્ઞાત કવિએ સારી શિખામણ આપી છે
न विश्वसेत् कुमित्रे, न मित्रे चापि विश्वसेत् । कदाचित् कुपितं मित्रं सर्वं गुह्यं प्रकाशयेत् ।।
કુમિત્ર પર વિશ્વાસ ન કરવો. અરે, મિત્ર પર પણ વિશ્વાસ ન કરવો ! કારણ કે ક્યારેક ક્રોધિત થયેલો મિત્ર તમારી ગુપ્ત વાત પ્રગટ કરી દેશે તાત્પર્ય એ છે કે કોઈપણ વાત પર કે વ્યક્તિ પર એકદમ વિશ્વાસ કરી લેવાની જરૂર નથી. સૂક્ષ્મતાથી પરખ કર્યા પછી જે વાત પર વિશ્વાસ થઈ જાય, તેને પછી વળગી રહેવું જોઈએ.
સો વાતની એક વાત - જેને ધર્મની શક્તિ પર અને પરમાત્માની અનંત કરુણા ઉપર પૂર્ણ વિશ્વાસ છે, તે કદી નિરાશ થતો નથી. પરમાત્માને જ પરમ સખા માનીને પૂર્ણ વિશ્વાસ મૂકો. તમે નિર્ભય છો !
૧૦૦ ૦ સંવાદ