________________
હિસાસ
) ૩. એરિસ્ટોટલ ત્રીજો પ્રકાર કહ્યો છે તે શ્રેષ્ઠ 5) છે. બંને મિત્રોની એકબીજાને ખુશ કરવાની ક્ષમતા
( કે તમન્ના સમાન હોવી જોઈએ. મિત્રને બીજા મિત્ર
V, માટે હમેશાં સન્માનનો ભાવ હોવો જોઈએ. શેક્સપિયરે (2) કહેલું; “Grapple Friends to thy soul with hoops
to steel.” એવા મિત્ર રાખો કે જેની સાથે લોહબંધન-પોલાદ જેવી પકડ થઈ જાય !
તમે કોઈના મિત્ર બન્યા છો ? એ મિત્રનો વિશ્વાસ સંપાદન કર્યો છે ? ક્યારેય એ વિશ્વાસનો ભંગ નથી કર્યો ને ? વિશ્વાસઘાત એ બહુ મોટું પાપ છે.
અજ્ઞાની મનુષ્ય વિચારે છે કે : “આણે મને દુ:ખ આપ્યું.... આણે મારું સુખ છીનવી લીધું. મને દુ:ખી દુ:ખી કરી નાંખ્યો. મને એ સુખ નથી આપતો. મેં એને મિત્ર માનીને સુખ આપેલું... પણ હવે એને હું મારો શત્રુ જ માનીશ. દુશ્મન માનીશ. એવા સાથે વળી મૈત્રી કેવી ? તે પણ હવે મને દુશ્મન માને છે તો હું તૈને મારો મિત્ર કેવી રીતે માનું ? મારે પણ આ સંસારમાં જીવવું છે. સંસાર વ્યવહારમાં તત્ત્વજ્ઞાની બનવાથી નથી ચાલતું. હું કંઈ સાધુ-સંત નથી કે શત્રુને પણ મિત્ર માનું?
આવું વિચારનારાઓ પાસેથી મૈત્રીની-વિશ્વાસની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આવા મૂઢ માણસો જો કોઈ સાથે મૈત્રી કરતા દેખાય તો સ્વાર્થપરવશ કરતા હોય છે. એમના પર વિશ્વાસ ન રખાય. એમનો સ્વાર્થ સરે એટલે વિશ્વાસભંગ કરતાં વાર ન લગાડે.
એટલે ચાણક્ય એક સૂત્ર આપ્યું છે : 'मर्यादातीतं न कदाचिदपि विश्वसेत् !'
કયારેય પણ મર્યાદાથી અધિક વિશ્વાસ ન કરવો ! તે છતાં ‘નાતક'માં કહ્યું છે :
મંત્રી એટલે ? વિશ્વાસ ૦ ૯૯